કેબિનેટ બેઠક બાદ પત્રકારોએ ઉદ્ધવ ઠાકરેને પ્રશ્ન કર્યો કે શું શિવસેના સેક્યુલર બની ચૂકી છે? આ સવાલ સાંભળતાની સાથે જ ઉદ્ધવ ઠાકરે ભડકી ગયા. તેઓએ કહ્યું કે સેક્યુલરનો અર્થ શું છે.
સેક્યુલરના પ્રશ્ન પર છગન ભુજબલે આપ્યો આ જવાબ
ઉદ્ધવે કહ્યું- જે સંવિધાનમાં લખ્યું છે તે સેક્યુલર છે
શિવાજી કિલ્લા માટે 20 કરોડ રૂપિયાના ફંડની જાહેરાત
પત્રકારના પ્રશ્નથી ભડક્યા ઉદ્ધવ ઠાકરે
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ પહેલી કેબિનેટ બેઠક કરી હતી. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારના નિર્ણયોની જાહેરાત કરી. આ સમયે ઉદ્ધવ ઠાકરેને સવાલ કરાયો કે શું શિવસેના સેક્યુલર બની છે. આ સવાલ સાંભળતાં જ તેઓ ભડકી ઉઠ્યા. તેઓએ કહ્યું સંવિધાનમાં જે લખાયું છે તે સેક્યુલર છે. આ સમયે એનસીપી નેતા છગન ભુજબલે પણ ઉદ્ધવ ઠાકરેની તરફથી જવાબ આપ્યો હતો.
Maharashtra CM Uddhav Thackeray on being asked 'Has Shiv Sena has become secular?': Secular ka matlab kya hai? Samvidhan mein jo kuch hai woh hai. #Mumbaipic.twitter.com/eS2zkXEpIE
કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ સરકાર સામાન્ય જનતા માટે કામ કરશે. જનતાના આર્શિવાદ મળી રહે તે જરૂરી છે. તેઓએ રાયગઢના શિવાજી કિલ્લાને રીનોવેટ કરાવવાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું કે તેને માટે 20 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવશે.
Maharashtra CM Uddhav Thackeray after first cabinet meeting, in Mumbai: I want to assure the people of the state that we will give a good government. I want to help the farmers in a manner which will make them happy. pic.twitter.com/mJ41CzuAtu
બેઠકમાં ખેડૂતોના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું કે મુખ્ય સચિવે ખેડૂતોને લઈને જાણકારી માંગી છે. તેઓએ કહ્યું કે સરકાર ખેડૂતોના વિકાસ માટે કામ કરશે. પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મને તમને જણાવતાં આનંદ થયા છે કે આ કેબિનેટે જે પહેલો નિર્ણય લીધો છે તે રાયગઢના વિકાસ માટે 20 કરોડ રૂપિયાની મંજૂરી આપવાનો છે. જે છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની હતી.