મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ધોરણ 9 અને 11ના બધા જ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરી દેવામાં આવશે.
મહારાષ્ટ્રમાં ધોરણ 9 અને 11ની પરીક્ષાઓ રદ
કોરોના વાયરસના કારણે સરકારે લીધો મોટો નિર્ણય
વગર પરીક્ષાએ પાસ થઈ જશે વિદ્યાર્થીઓ
મહારાષ્ટ્રમાં લેવાયો નિર્ણય
મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ધોરણ 9 અને 11ના બધા જ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરી દેવામાં આવશે. આ બંને ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા આ વર્ષ માટે રદ કરી દેવામાં આવી છે. બધા જ વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાનો નિર્ણય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને જોતાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ધોરણ 9 અને 11ની પરીક્ષાઓ રદ
મહારાષ્ટ્રની શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે બુધવારે જાહેરાત કરી કે રાજ્યમાં કોરોના વાયરસના કારણે રાજ્યમાં શાળાઓમાં ઓફલાઇન પરીક્ષાઓ કરવી મુશ્કેલ છે. આ વિદ્યાર્થીઓના હીતને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના ધોરણ 9 અને 11ની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે.
હવે બોર્ડની પરીક્ષાઓ જ લેવાશે
મહારાષ્ટ્રમાં આ પહેલા જ ધોરણ આઠ સુધીની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. એટલે કે આ વર્ષે હવે માત્ર 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ છોડીને શાળાઓની પરીક્ષાઓને રદ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે અત્યારે 29મી એપ્રિલે ધોરણ 10 તથા 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ કરવામાં આવવાની છે. અત્યારે ધોરણ 10ની પ્રેક્ટિકલ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. આ સિવાય જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા દરમિયાન કોરોના વાયરસની પ્રભાવિત હશે તેમને જૂન મહિનામાં ફરીથી તક આપવામાં આવશે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો વધતો કહેર
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. આ બીજી લહેરમાં સૌથી વધારે નવા કેસ મહારાષ્ટ્રમાંથી જ સામે આવી રહ્યા છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા નાઈટ કર્ફ્યૂ સહિતના નિર્ણય લેવામાં આવ્યા છે. રાજ્યમાં વધતાં કેસને જોતાં હવે શાળાઓમાં પરીક્ષા ન લેવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.