વડોદરાના ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ સ્વામીના ગૂમ થવા મામલે નવો ખુલાસો થયો છે. સરખેજ આશ્રમના વિવાદથી હરિહરાનંદ વ્યથીત હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરી તેઓ આશ્રમ છોડી નીકળી ગયા હોવાની માહિતી મળી રહી છે.
શું છે સમગ્ર મામલો?
વડોદરાના ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ સ્વામી છેલ્લા 2-3 દિવસથી ગાયબ થતાં કેવડિયા આશ્રમના પરમેશ્વર ભારતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર હરિહરાનંદ વડોદરામાં રાકેશ નામના ભક્તને ત્યાં ગયા હતા. જે બાદ વડોદરા હાઇવે પર કપુરાઈ ચોકડી સુધી સ્વામી તેઓ પરત પણ મૂકી ગયો હતો.હનુમાન મંદિર નજીક રાકેશે કારથી હરિહરાનંદને છોડ્યા હતા. જે બાદ ખાસવાડી આશ્રમમાં કાળું નામના વ્યક્તિને ત્યાં જવાનું કહીને તે થયા ગુમ થયા હોવાની વાતો વહેતી થઈ હતી.જે બાદ વાડી પોલીસે હરિહરાનંદ સ્વામીની તપાસ હાથધરી હતી જેમાં તેમણે હાથે હરિહરાનંદ સ્વામીએ લખેલી ચિઠ્ઠી અને એક વીડિયો હાથ લાગ્યો હતો.
મારા પર વિવાદો કરીને દબાણ કરવાનો પ્રયાસ થયો : હરિહરાનંદ સ્વામી
હરિહરાનંદ સ્વામી એક લખાણ અને વીડિયો મુકીને ગુમ થયા છે. જેમાં તેઓ ભારતી આશ્રમ સરખેજનો ખુબ વિવાદ થયો હોવાની વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે તેમજ કહી રહ્યા છે કે ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદથી વિવાદ ચાલુ જ રહ્યો છે. વિલ મારા નામનુ હતુ છતા ફ્રોડ વિલ બનાવવામાં આવ્યા છે. મારા પર વિવાદો કરીને દબાણ કરવાનો પ્રયાસ થયો છે. હું આ બધી સ્થિતીથી કંટાળીને આ નિર્ણય કરી રહ્યો છુ. મે આશ્રમ છોડીને નિકળી જવાનો રસ્તો પકડ્યો હોવાની કબૂલાત તેઓએ વીડિયોમાં કરી છે.