લોકડાઉનમાં રામાયણ અને મહાભારત જેવી 80 અને 90ના દાયકાની સુપરહિટ સીરિયલોનું રિ-ટેલિકાસ્ટ શરૂ થવાથી આ સીરિયલ્સમાં કામ કરનાર કલાકારો પણ ચર્ચામાં આવી ગયા છે. ત્યારે બીઆર ચોપડાની મહાભારતમાં દેવકીની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ શીલા શર્મા પણ ચર્ચામાં આવી ગઈ છે.
લોકડાઉનમાં મહાભારત અને રામાયણને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે
ત્યારે મહાભારતમાં દેવકીની ભૂમિકા એક્ટ્રેસ શીલા શર્માએ ભજવી હતી
શીલા શર્મા બોલિવૂડના સુપરસ્ટારની વેવાણ છે
એ જ દેવકી જેણે કંસની જેલમાં કૃષ્ણને જન્મ આપ્યો હતો. મહાભારતમાં દેવકીની ભૂમિકા ભજવનારી આ અભિનેત્રી રિયલ લાઈફમાં બોલિવૂડના સુપરસ્ટાર મિથુન સક્રવતીની વેવાણ છે. ઘણાં ઓછાં લોકોને આ વાત ખબર છે કે, શીલા શર્માની દીકરી મદાલસાના લગ્ન મિથુન ચક્રવતીના દિકરા મહાઅક્ષય ચક્રવર્તી સાથે થયા છે. મદાલસા તેની મોમની જેમ જ એક એક્ટ્રેસ છે.
શીલાએ ટેલિવિઝનની સાથે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે પરંતુ તેમને પ્રસિદ્ધિ બીઆર ચોપડાની મહાભારતથી મળી હતી. મહાભારતમાં દેવકીનો રોલ પ્લે કર્યાં બાદ તેમની પોપ્યુલારિટી ખૂબ જ વધી ગઈ હતી.
તેણે એકવાર ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં એક શખ્સે તેના આશીર્વાદ લીધા હતા, કારણ કે તેણે મહાભારતમાં દેવકીની ભૂમિકા ભજવી હતી. મહાભારતની શૂટિંગ દરમિયાન શોના કલાકારોની એક્ટિંગ એકદમ રિયલ લાગતી હતી અને તેના માટે તેઓ ખૂબ મહેનત પણ કરતા હતા.
એક ચેટ સેશનમાં શીલાએ જણાવ્યું હતું કે, શૂટિંગ દરમિયાન મને હકીકતના મહાભારતમાં દેવકીની હાલત અંગે વિચાર આવતો અને હું શૂટિંગ દરમિયાન હકીકતમાં રડવા લાગતી હતી. શીલાની મહાભારત માટે કાસ્ટિંગ પણ ખૂબ જ યૂનિક રહી હતી. હકીકતમાં મહાભારતના કાસ્ટિંગ ડિરેક્ટર ગૂફી પેન્ટલએ શીલાને એક શોમાં એક્ટિંગ કરતાં જોઈ હતી અને ત્યારબાદ તેઓ શીલા પાસે મહાભારતમાં દેવકીનો રોલ કરવાની ઓફર લઈને પહોંચી ગયા હતા.