મધ્ય પ્રદેશના ગવર્નર લાલજી ટંડનનું આજે વહેલી સવારે નિધન થઇ ગયું છે. 85 વર્ષીય લાલજી ટંડન છેલ્લા ઘણા દિવસથી બિમાર હતા. તેમનો ઇલાજ લખનઉમાં ચાલી રહ્યો હતો. લાલજી ટંડનના નિધનની પુષ્ટી તેમના દિકરા અને ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી આશુતોષ ટંડને કરી છે. તેમણે ટ્વિટ કરી જણાવ્યું છે કે બાબુજી નહીં રહે.
મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું નિધન
લાંબા સમયથી બીમાર હતા લાલજી ટંડન
લખનઉની મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
લાલજી ટંડનની મેદાંતા હોસ્પિટલમાં અંદાજે છેલ્લા દોઢ મહિનાથી સારવાર ચાલી રહી હતી. લાલજી ટંડનની કીડની અને લિવરમાં તકલીફ હતી ત્યારે બાદ તેમને દાખલ કરવામાં આવ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે મોડી રાતે જ લાલજી ટંડનની તબિયત બગડી ગઇ હતી. તબિયત બગડતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા. આ અંગેની જાણકારી લખનઉમાં આવેલી મેદાંતા હોસ્પિટલના ડાયરેકટર ડૉ. રાકેશ કપૂરે આપી હતી. ડૉ. રાકેશ કૂપરે કહ્યું હતું કે આજે તેમની તબિયત ઘણી ગંભીર છે. તેમને ફુલ સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતા.
Madhya Pradesh Governor Lalji Tandon passes away; his son Ashutosh Tandon announces his demise pic.twitter.com/MB0kVjdRCf
લાલજી ટંડનને 2018માં બિહારના ગર્વનર બનાવામાં આવ્યાં. ત્યારબાદ તેઓને 2019માં મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં. લખનઉમાં લાલજી ટંડનની લોકપ્રિયતા સમાજના દરેક વર્ગમાં હતી. તેઓ પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના ઘણા નજીક અને મહત્વના સહયોગી હતા.
2004માં લોકસભા ચૂંટણીમાં પૂર્વ સંધ્યા પર પર પોતાનો જન્મ દિવસની ઉજવણી પર સાડી આપી રહ્યા હતા ત્યારે ભાગદોડ મચી હતી અને 21 મહીલાઓના મૃત્યું થયા હતા. ત્યારબાદ લાલજી ટંડનને બધા આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યાં.