ગુજરાત બોર્ડ-નિગમમાં ધરમૂળથી બદલાવ થવા જઇ રહ્યો છે. હવે બોર્ડ નિગમમાં પણ નો-રિપીટની થિયરીનો અમલ થશે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પદેથી મધુ શ્રીવાસ્તવ રાજીનામું આપશે
ગુજરાતમાં બોર્ડ-નિગમમાં ધરમૂળથી બદલાવ
બોર્ડ-નિગમમાં પણ નો-રિપીટ થિયરી
78 બોર્ડ-નિગમમાં થશે નવી નિયુક્તિ
જેમ જેમ 2022ની ચૂંટણી નજીક આવી રહી છે.તેમ નવી નિયુક્તિ પણ જોવા મળી છે.ત્યારે રાજ્ય સરકારના બોર્ડ નિગમમાં નવી નિયુક્તિઓ કરવાની ફિરાકમાં ભાજપ હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.કેમકે ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે બોર્ડ-નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના રિપોર્ટ કાર્ડ મંગાવવા તેમજ રાજીનામા આપવાનો દોર શરૂ થયો છે.
કોણે આપ્યા રાજીનામા ?
1. વિમલ ઉપાધ્યાય, બિન અનામત આયોગ
2. બી.એચ.ઘોડાસરા, બિન અનામત આયોગ
3. સાજીદ હીરા, ગુજરાત વકફ બોર્ડ
4. પકજ ભટ્ટ, સંગીત કલા બોર્ડ
5. લીલાબેન અંકોલોયા, મહિલા
6. ધનસુખ ભંડેરી, ફાઇનાન્સ બોર્ડ
7. હંસરાજ ગજેરા
8. મુદુભાઈ મેર
કયા મોટા નેતા હવે રાજીનામું આપશે
મધુ શ્રીવાસ્તવ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી. ચેરમેને તરીકે આપી શકે રાજીનામુ
આઈ.કે.જાડેજા 70 મુદા અમલીકરણ ચેરમેને તરીકે આપી શકે રાજીનામુ
બળવંતસિંહ રાજપૂત GIDC ચેરમેને તરીકે આપી શકે રાજીનામુ
મધુ શ્રીવાસ્તવ રાજીનામું આપવા તૈયાર
ગુજરાત ભાજપ દ્વારા ચેરમેનના રાજીનામાની માંગ બાદ મધુ શ્રીવાસ્તવ રાજીનામું આપવા તૈયાર થઈ ગયા છે. શ્રીવાસ્તવે રાજીનામાં વિષે નિવેદન આપતા કહ્યું કે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પદે રાજીનામું આપીશ. પ્રદેશ પ્રમુખે રાજીનામું માંગ્યું છે ત્યારે પ્રમુખનો હુકમ માન્ય છે. હું પાર્ટીનો કાર્યકર છું. પ્રદેશ પ્રમુખ કમલમ આવશે એટલે રાજીનામુ આપીશ.
સી આર પાટીલનો આદેશ તમામે શિરોમાન્ય રાખ્યો
2022ની ચૂંટણી પહેલા ખાલી પડેલી બોર્ડ નિગમની નિમણુંક કરાય તેવી શકયતા સેવાઈ રહી છે.ત્યારે રાજ્ય સરકારના કુલ 78 બોર્ડ નિગમમાં છે,જેમાંથી 40થી વધુ વોર્ડ નિગમ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક બાકી છે.જેમાં અગાઉ 16 જેટલા લોકો રાજીનમાં આપ્યા છે,જ્યારે વધુ કેટલાક ચેરમેન વાઇસ ચેરમેને રાજીનામ આપ્યા છે.જે અંગે હવે આગામી દિવસોમાં નવી નિમણુંક અંગે અત્યારથી જ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચેરમેનો સાથે મુલાકાત કરી લીધી છે. મહત્વનું છે કે 30થી વધુ બોર્ડ નિગમના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની અવધિ પૂર્ણ અગાઉ થઈ ચૂકી છે. ત્યારે બોર્ડ નિગમમાં અવધિ પૂર્ણ થતાં હાલ 8 જેટલા રાજીનામાં આપ્યા છે.આગામી દિવસોમાં વધુ રાજીનામાં પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આગામી એક વિકમાં જે બોર્ડ નિગમની અવધિ પુર્ણ થઈ ચૂકી છે,તેમને રાજીનમાં અંગે ફરમાન કરવામાં આવ્યું છે.ત્યારે નવી નિમણુંક અંગે શકયતા જોઈએ તો.
- પ્રત્યેક બોર્ડ નિગમમાં ચેરમેન અને વાઇસ ચેરમેન અને 10 ડિરેક્ટરની થશે નિમણુંક.
- જે અંતર્ગત અંદાજીત સેંકડો કાર્યકરો 2022ની ચૂંટણી પહેલા મળશે, સોપાઈ શકે મહત્વની જવાબદારી.
- આમ તો ખાલી પડેલા બોર્ડ નિગમમાં ભાજપ પ્રદેશ નો રિપીટ થિયરી આધારીત થાય તેવી સેવાઈ રહી છે શકયતા.
- સૂત્રો જાણકારી મુજબ તેમજ એક પદ એક હોદાની ફોરમ્યુલા નવા બોર્ડ નિગમની નિમણુંક જોવાય તેવી પ્રબળ શકયતા.
- જે લોકો વિધાનસભા ટીકીટ ન મળે તેમને બોર્ડ નિગમમાં સ્થાન મળે તેવી પ્રબળ શકયતા.
- હજી કેટલાક બોર્ડ નિગમના ચેરમને યથાવત રખાય તેવી શકયતા.
- પક્ષના સીનીયર નેતાઓ બોર્ડ નિગમમાં સ્થાન અપાય તેવી શકયતા.
- કોર્પોરેશન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જે સિનિયર દાવેદારો કે જેઓ ટર્મથી વધુ લોકોની ટીકીટ કપાય તેમને સ્થાન મળે તેવી શકયતા.
- બોર્ડ નિગમમાં નિમણુંકમા જ્ઞાતિવાદી સમીકરણ પણ લેવાઈ શકે છે ધ્યાનમાં
આમ તો ભાજપ દ્વારા આજથી 2022ની ચૂંટણી અંગે રણનીતિ આરંભી હોય તેમ લાગી રહ્યું છે,કેમકે આજે રાજ્યભરમાં ભાજપ દ્વારા 579 મંડળ સ્તરે બેઠકનું યોજાઈ હતી.તેમજ બોર્ડ નિગમની કેટલાક બોર્ડના ચેરમેને રાજીનમાં આપ્યા છે,તેમજ છેલ્લા કેટલાય સમયથી ખાલી પડેલી જગ્યા અંગે ભાજપ વિચારણા હાથ ધરે તેવી પ્રબળ શકયતા સેવાઈ રહી છે.ચૂંટણીને પહેલા ભાજપ નારાજગી ખાળવા અને 2022 તૈયારી આરંભ સમાન જોવામાં આવી રહી છે.