ભાવનગરમાં બિનવારસી હાલતમાં મા અમૃતમ કાર્ડ મળી આવ્યા છે. સરકારી યોજનાના લાભ માટે માં અમૃતમ કાર્ડ મહત્વના છે ત્યારે માં અમૃતમ કાર્ડનો જથ્થો કેમ ફેંકી દેવાયો હતો તે મોટો પ્રશ્ન છે.
બિનવારસી હાલતમાં મળ્યા માં અમૃતમ કાર્ડ
150થી વધુ કાર્ડ બિનવારસી હાલતમાં મળ્યા
તંત્રની ઘોર બેદરકારી આવી સામે
150 કરતા વધુ કાર્ડ બિનવારસી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ મા કાર્ડ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવાના હતા ને કાર્ડ ફેંકી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે સ્થાનિકો સહિતમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આવી ઘોર બેદરકારી કોણે કરી અને તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે થી લઈને કાર્ડ કોણે ફેંકી દિધા તે તપાસનો વિષય હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. અગાુ પણ મા અમૃતમ કાર્ડમાં કૌભાંડો સામે આવી ચુક્યા છે ત્યારે આ કાર્ડ પણ કોઈ કૌભાંડનો ભાગ છે કે પછી લાપરવાહી તે તપાસ થાય તો સમજાય તેમ છે.
સુરતમાં થયું હતુ કૌભાંડ
સુરતમાં માંગો ત્યારે મળી રહ્યા છે આયુષમાન કાર્ડ મળી રહે છે. સુરતમાં કાર્ડ કઢાવવાનો ધમાકેદાર ધંધો ચાલી રહ્યો છે. સુરતમાં એજન્ટ 4 થી 5 હજારમાં કાઢી આપે છે. માંગો તે કાર્ડ માંગો ત્યારે ચપટીમાં મળી જાય છે બસ ખાલી પૈસા હોવા જોઈએ. વરાછા રોડ વિસ્તારમાં એજન્ટ જુદા જુદા કાર્ડ બનાવી આપે છે.
નાગજી નામનો એજન્ટ ખુલ્લે આમ બનાવી આપે છે 'મા કાર્ડ'
સુરતમાં નાગજી નામનો એજન્ટ ખુલ્લેઆમ વગર ડોક્યુમેન્ટે 'મા અમૃતમ કાર્ડ' ધંધો કરે છે. VTVના સ્ટિંગ ઓપરેશનમાં નાગજીએ મોટી મોટી બડાશો મારતો કેદ થઈ ગયો હતો. તેણે "મની પાવર હોય તો કામ થઈ જાય"ની વાત કરીને પૈસાના જોરે કાગળિયા વગર પણ 'મા કાર્ડ' કાઢી આપવાની તૈયારી બતાવી હતી.
એક ભાઈ હોસ્પિટલમાં છતાં કાર્ડ કઢાવી આપ્યાનો દાવો
એટલું જ નહીં પરંતુ નાગજી એક વ્યક્તિની આવતીકાલે સર્જરી છતાં કલાકોમાં 'મા કાર્ડ' બનાવી આપ્યાનો દાવો કરતો હતો. તેણે કહ્યુ હતુ કે, ડોક્યુમેન્ટ હોય કે ન હોય રૂપિયા આપો એટલે એજન્ટ 'મા કાર્ડ' બનાવી આપે છે.
અધિકારીઓ પણ એજન્ટને જ આપે છે કાર્ડ
અધિકારીઓ અરજદારને કાર્ડ આપતા નથી. દસ્તાવેજ વગર 'મા કાર્ડ' બન્યા પછી જે તે અરજદારને 'મા કાર્ડ' આપવામાં નથી આવતુ પરંતુ સરકારી અધિકારીઓ નાગજીને જ 'મા કાર્ડ' આપે છે. માં અમૃતમ કાર્ડમાં ઓનલાઈન 5 લાખનું બેલેન્સ આવ્યા પછી નાગજી કાર્ડ આપે છે.
સુરતથી લઈ ગાંધીનગર સુધી અધિકારીઓ સાથે સેટિંગ
એજન્ટ નાના વરાછા ચોપાટીની સામે દરરોજ સવારથી આવી જાય છે. અરજદારની સાથે ઓફિસમાં જઈ સીધું કાર્ડ બનાવી આપવાનો એજન્ટનો દાવો કરે છે.
ઉઠી રહેલા પ્રશ્નો
માં અમૃતમ કાર્ડના બહાને ચાલી રહ્યુ છે કૌભાંડ? જરૂરિયાતમંદોને બદલે સેટિંગ કરીને મળે છે કાર્ડ? પૈસા ઉઘરાવતા એજન્ટોની અધિકારીઓ સાથે સંડોવણી? શું ઉચ્ચ અધિકારીઓ સુધી એજન્ટો રૂપિયા પહોંચાડે છે? માં અમૃતમ કાર્ડના કૌભાંડમાં કોની-કોની સંડોવણી છે? મની પાવરથી એજન્ટો કઈ પણ કરી આપી શકે છે? સરકારી યોજનામાં આટલી હદે ગરબડી ચાલતી હશે? આ કાર્ડને લઇને તપાસ નહીં થતી હોય? મોટા અધિકારીઓ કે નેતાના માનીતાની સંડોવણી વિના આ શક્ય છે? સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવનારાને દંડ થશે? રૂપિયા આપ્યા બાદ એજન્ટો કઈ પણ કરી શકે છે? શું ઉચ્ચ અધિકારીઓને આ વિશે જાણ હોવા છતા અજાણ બને છે? સરકાર કૌભાંડ મામલે નિષ્પક્ષ તપાસ કરાવશે?