મસ્જિદ, ગુરુદ્વારા અથવા ચર્ચમાં હવે એક સાથે ફક્ત 5 લોકો પ્રવેશ કરી શકે છે.
મેડિકલ કોલેજોને કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી
ધાર્મિક સ્થળો પર માત્ર 5 લોકોને પરવાનગી
લખનૌમાં વ્યાપક કોન્ટેક્ટ ટ્રેસિંગના નિર્દેશ
ધાર્મિક સ્થળો પર માત્ર 5 લોકોને પરવાનગી
રાજ્યમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને રોકવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટા નિર્ણય લીધો છે. રાજ્યના કોઈ પણ ધાર્મિક સ્થળો પર 5થી વધારે લોકોના પ્રવેશની પરવાનગી નહીં મળે. મસ્જિદ, ગુરુદ્વારા અથવા ચર્ચમાં હવે એક સાથે ફક્ત 5 લોકો પ્રવેશ કરી શકે છે. એક સાથે મુખ્યમંત્રીના જનપદ લખનૌમાં કોવિડ 19ના ઉપચાર માટે એલ-2 તથા એલ 3ના પુરતા બેડની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરાવવાના નિર્દેશ કર્યા. તેમણે કહ્યું કે લખનૌમાં તત્કાલ ઓછામાં ઓછા 2 હજાર આઈસીયુ બેડની વ્યવસ્થા કરવામાં આવે. આ બાદ પહેલા અઠવાડિયામાં 02 હજાર કોરોના બેડની વ્યવસ્થા કરવામાં આવે.
આ કોલેજોને કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી
જિલ્લાધિકારીએ જનપદ લખનૌમાં તમામ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની નિરંતર આપૂર્તિ સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે. સાથે એરા મેડિકલના કોલેજ, ટીએસ મિશ્રા મેડિકલ કોલેજ તથા ઈન્ટીગ્રલ મેડિકલ કોલેજોને પૂર્ણ રુપથી ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલોમાં રુપાંતરિત કરવામાં આવ્યા છે. બલરામપુર હોસ્પિટલમાં 300 બેડની કોવિડો હોસ્પિટલ 11 એપ્રિલ એટલે કે આજથી શરુ થઈ જશે. ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવેલી 3 મેડિકલ કોલેજો તથા બલરામપુર મેડિકલમાં ટ્રેડ મૈનપાવરની વ્યવસ્થાની સાથે વેન્ટીલેટર તથા એચએફએનસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
લખનૌમાં વ્યાપક કોન્ટેક્ટ ટ્રેસિંગના નિર્દેશ
લખનૌમાં વ્યાપક કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાનું કહેવામાં આવ્યું છે. સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા 30થી 35 લોકોને ટેસ કરતા તેમનો ટેસ્ટ કરવામાં આવશે. આ સાથે લખનૌમાં તમામ ગામ અને નગર કોર્પોરેશનોના તમામ વોર્ડની સમિતિને કેવામાં આવ્યું છે કે મંડળઆયુક્ત જનપદ લખનૌમાં સ્વસ્છતા, સેનેટાઈઝેશન અને ફોગિંગ વ્યાપક સ્તર પર કરાવવામાં આવે. પોલીસ આયુક્ત લખનૌમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમના પ્રભાવી ઢંગથી સંચાલિત કરાવે. ધર્મસ્થળોમાં 05થી વધારે લોકોને એક સાથે પ્રવેશની પરવાનગી ન આપવામાં આવે. બજારોમાં વ્યાપારિઓ સાથે સંવાદ કરી તેમને સહયોગ લઈ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામાં આવે. માસ્ક ન પહેરનાર પર પગલા લેવાય. કેન્ટોનમેન્ટ ઝોનમાં અવરજવર પર પ્રતિબંધ લગાવાય.