ગુજરાતના સેંકડો યુવાઓ જે લોકરક્ષક દળની પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેની આવતીકાલે પરીક્ષા યોજાવા જઈ રહી છે.
આવતીકાલે LRDની પરીક્ષા
સરકારી તંત્રની તૈયારીઓ પૂર્ણ
પરીક્ષા સેન્ટર પર તંત્રની તૈયારીઓ
આ પરીક્ષાને લઈ રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. જેમાં રાજકોટ, સુરત સહિતના વિસ્તારમાં તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. તો બીજી તરફ કેટલાક સામાજિક સંગઠનો દ્વારા પણ જે LRDના ઉમદવારો પરીક્ષા માટે આવવાના છે તેઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
તંત્ર થયું સજ્જ
રાજકોટમાં સરકારી તંત્ર દ્વારા 2 સ્ટ્રોગ રૂમની વ્યવસ્થા કરાઈ છે. જેમાં દરેક સેન્ટર પર PI,PSIને તૈનાત કરાયા છે. પરીક્ષા સેન્ટર પર ગેરરીતિ અટકાવવા CCTV અને વીડિયોગ્રાફરની પણ વ્યવસ્થા કરાઈ છે.
LRDના ઉમેદવારો માટે રહેવા તથા જમવાની કરાઈ વ્યવસ્થા
તો સુરતમાં તળપદા કોળી સમાજ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા વેલનાથ ગ્રુપ દ્વારા LRDના ઉમેદવારો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મહિલા ઉમેદવારો માટે પણ અલાયદી વ્યવસ્થા કરાઈ છે. ઉમેદવારોને તેમના પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા આ સંગઠનો દ્વારા કરવામાં આવી છે.
LRDની પરીક્ષા પર તંત્રની તૈયારીઓ
ST વિભાગ દ્વારા બસો ફળવાઈ
954 સેન્ટર પર લેવાશે પરીક્ષા
ગેરરીતિઓ અટકાવવા તંત્રના પ્રયાસ
સેન્ટરો પર CCTV લગાવાયા
ઉમેદવારોને ભરમાવતી ટોળકી ઝડપી
શિક્ષણ વિભાગના અધીકારીઓની તાલીમ
લોકરક્ષક દળના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું છે કે LRDની લેખિત પરીક્ષા માટે શિક્ષણ વિભાગના અધીકારીઓની તાલીમ કરી દેવાઈમાં આવી છે. પરીક્ષામાં ગેરરિતી ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે જેને લીધે મોટા કેન્દ્રો પર જ પરીક્ષાનું આયોજન કરાયુ છે.
વન રક્ષક જેવી ગેરરીતિનું ઉમેદવારો પણ ધ્યાન રાખે
વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે વન રક્ષકની પરીક્ષાની ગેરરિતીને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. તેથી ઉનવામાં ગેરરીતિ થઈ એવી ઘટના ન બને તે માટે ઉમેદવારોને જાગૃત રહેવા કહું છું સમગ્ર પોલીસ તંત્ર ગેરરિતી અટકાવવાના પ્રયત્નમાં લાગ્યુ છે તેથી બહુ સારી રીતે પરીક્ષા થશે તેનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો
7 જિલ્લાઓમાં પરીક્ષાનું આયોજન
નાના સેન્ટરો પર પરીક્ષાનું આયોજન અઘરૂ થાય છે. ગેરરીતિ ટાળવા માટે જે થઇ શકે તે બોર્ડની પ્રાથમિકતા રહેશે. આથી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, આણંદમાં સેન્ટરો ફળવાયા છે.
ST તંત્ર વધારે બસો મૂકશે
હસમુખ પટેલે એ પણ જણાવ્યું હતું કે ST વિભાગ તરફથી પણ સામેથી ફોન આવ્યો હતો અને આયોજન વિશે ચર્ચા કરી હતી. ST તંત્ર તરફથી પણ બસોનું અલગથી આયોજન કરવામાં આવ્યુ છે. ક્યા જિલ્લામાંથી કેટલા ઉમેદવારો કયા જિલ્લામાં જશે તેની માહિતી એસ ટી વિભાગને આપી દેવામાં આવી છે. ઉમેદવારોને દુર જવુ પડે છે તેનું દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઉમેદવારોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
પરિચિતોનો નંબર પાસે ન આવે તેવો પ્રયાસ
કોલલેટર એ રીતે ઇશ્યુ કરવામાં આવ્યા છે જેથી કોઇ પણ ઉમેદવારોના પરિચિતોનો નંબર સાથે ન આવે. એટલે કે એક જિલ્લાના પરિચિતોનો પાસે નંબર ન આવે તે પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી ચોરી થવાની સંભાવના ટાળી શકાય. ઉમેદવારો અને લોકરક્ષક ભરતી બોર્ડનો એક જ ધ્યેય છે કે પરીક્ષા કોઈ પણ વિધ્ન વગર સૂચારુ ઉપે થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરી ઉમેદવારો અને પરીક્ષામાં આયોજનમાં જોડાયેલા તમામને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
કેટલા ઉમેદવારો થયા છે પાસ?
શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી આ પરીક્ષામાં 2.95 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેઓની લેખિત કસોટી તારીખ 10મી એપ્રિલના રોજ યોજાશે. તમને જણાવી દઈકે ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન-હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવી શારીરિક દોડ પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં બિન-હથિયારધારી કોન્સ્ટેબલની 5,212 તેમજ હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.