મોદી સરકારે રાંધણ ગેસનો ઉપયોગ કરનાર લોકોને એક મોટી રાહત આપી છે. હવેથી એલપીજી ગેસનો ઉપયોગ કરનાર ગ્રાહકો તેમની પસંદગીના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગેસ ભરાવી શકશે.
એલપીજી ગેસનો ઉપયોગ કરનાર લોકો માટે મહત્વના સમાચાર
કયા ડિસ્ટ્રીબ્યુટર પાસે રિફિલિંગ કરાવવું તે ગ્રાહકો નક્કી કરશે
ગ્રાહકો ગમે તે ડિસ્ટ્રીબ્યુટર પાસે રિફિલિંગ કરાવી શકશે
ખુદ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ટ્વિટ કરીને આપી જાણકારી
એલપીજી ધારકોને હવે ડિસ્ટ્રીબ્યુટરની પસંદગી કરવાનો વિકલ્પ મળશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ટ્વિટ કરીને આ સુવિધાની જાણકારી આપી છે.
જોકે હાલમાં આ યોજનાનો લાભ ફક્ત ચંદીગઢ, કોઈમ્બુતર, ગુરુગ્રામ, પુણે અને રાંચમાં રહેતા લોકોને મળશે ત્યાર બાદ દેશના બાકીના વિસ્તારોમાં શરુ કરવામાં આવશે.
LPG customers to have a choice deciding which distributors they want their LPG refill from. In the pilot phase, to be launched shortly, this facility will be available in Chandigarh, Coimbatore, Gurgaon, Pune, and Ranchi: Ministry of Petroleum & Natural Gas pic.twitter.com/NZrWteeqQl
આ નવી સેવા હેઠળ સરકાર એલપીજી ગ્રાહકોને કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટરની પસંદગી પહેલા તેમની રેટિંગ જાણવાનો પણ વિકલ્પ આપશે. ગ્રાહકોને આ વિકલ્પ એલપીજી રિફિલિંગ કરતી વખતે જોવા મળશે. જ્યારે ગ્રાહક એપ કે પોર્ટલ દ્વારા એલપીજી રિફિલ બુકિંગ માટે લોગ ઈન કરશે ત્યારે ત્યાં ડિસ્ટ્રીબ્યુટરની પસંદગીનો પણ વિકલ્પ જોવા મળશે.