પાસપોર્ટમાં કમળના ચિન્હનો ઉપયોગ કરવાને લઇને વિપક્ષે કેન્દ્ર સરકારને સંસદમાં ઘેરી છે. ત્યારે વિદેશ મંત્રાલયે ગુરુવારે તેના પર જવાબ આપ્યો કે આમ કરવાનું કારણ સિક્યોરિટી ફીચરને મજબૂત બનાવવાને લઇને કરાયું છે અને એક પછી એક દેશના અન્ય પ્રતીક ચિન્હોનો પણ ઉપયોગ કરવામાં આવશે.
વિદેશ મંત્રાલયે પાસપોર્ટ પર કમળના નિશાન પર ઉઠ્યા સવાલ પર આપ્યો જવાબ
વિદેશ મંત્રાલયે કહ્યું, આમ સિક્યોરિટી ફિચરને મજબુત બનાવવા માટે કરાયું છે
તેઓએ કહ્યું, આગળ બીજા ભારતીય ચિન્હોનો પાસપોર્ટ પર ઉપયોગ કરાશે
કેરળના કોજ્ઞિકોડમાં કમળના પ્રિન્ટ વાળા પાસપોર્ટ વહેંચવાનો મુદ્દો કોંગ્રેસ સાંસદ એમ કે રાઘવને શૂન્યકાળ દરમિયાન લોકસભામાં ઉઠાવ્યો હતો. રાઘવને આરોપ લગાવ્યો કે આ સરકારી સંસ્થાઓનું ભગવાકરણ કરવાની કોશિશ છે કેમકે કમળ બીજેપીનું ચૂંટણી ચિન્હ છે.
તેના પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે નિયમિત પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ મુદ્દા પર પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું, આ પ્રતીક અમારુ રાષ્ટ્રીય ફૂલ છે નકલી પાસપોર્ટને ઓખળવા માટે સિક્યોરિટી ફિચરને મજબુત બનાવવાનું એક પગલુ છે.
તેઓએ કહ્યું કે સિક્યોરિટી ફિચર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO)ના દિશાનિર્દેશ પર રજૂ કરાયા છે. રવીશ કુમારે કહ્યું, કમળ ઉપરાંત એક પછી એક દેશના અન્ય ચિન્હોનો ઉપયોગ કરવામાં આવશે. હાલ કમળ છે આવતા મહીને અન્ય કોઇ હશે.