સરકાર વલ્લભ ભાઇ પટેલના સ્ટેચ્યૂ ઓફ યૂનિટી બાદ હવે ભારતમાં ભગવાન શિવની સૌથી મોટી પ્રતિમા બનાવવામાં આવી રહી છે. જેનું કામ લગભગ પૂર્ણ થવાનું છે.
ભગવાન શિવની આ સૌથી ઉંચી મૂર્તિનું નિર્માણ રાજસ્થાનના ગણેશ ટેકરીના શ્રીનાથદ્વારામાં કરવામાં આવી રહ્યું છે. આ મૂર્તિનું અનાવરણ આ વર્ષે ઓગસ્ટ સુધી કરવામાં આવી શકે છે. આ ભગવાન શિવની દુનિયામાં સૌથી ઉંચી મૂર્તિ હશે. તેની લંબાઇ 351 ફૂટ છે. એટલે કે લંબાઇ દિલ્હીના કુતુબ મિનારથી પણ વધારે છે. કુતુબ મિનારની કુલ લંબાઇ 240 ફૂટ છે.
ભગવાન શિવના હાથમાં જે ત્રિશૂલ છે તેની લંબાઇ 315 ફૂટ છે. આ વિશાળકાય મૂર્તિને બનાવવા માટે લગભગ 22000 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂર્તિમાં ચાર લિફ્ટ અને ત્રણ સીડીઓ હશે. જેના દ્વારા પર્યટક મૂર્તિને જોઇ શકશે.
ભગવાન શિવની મૂર્તિનો ઉપરી ભાગ પૂર્ણ રૂપે બનીને તૈયાર થઇ ચૂક્યો છે. આ પ્રોજેક્ટમાં ગત ચાર વર્ષમાં લગભગ 750 મજદૂર કામ કરી રહ્યા છે. મૂર્તિનું અનાવરણ થતા જ ભગવાન શિવના દર્શન માટે અહીં ભક્તોની ભીડ ઉમટી શકે છે.
દુનિયાના ત્રણ મોટા સ્ટેચ્યૂ
વર્તમાન સમયમાં ભગવાન શિવની સૌથી મોટી પ્રતિમા નેપાળના કૈલાશનાથ મંદિરમાં છે. આ મૂર્તિની ઉંચાઇ લગભગ 143 ફૂટ છે. ભગવાન શિવની આ પ્રતિમા દુનિયાના ચાર સૌથી વિશાળકાય સ્ટેચ્યૂમાં સામેલ થશે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ઉપરાંત ટેમ્પલ બુદ્ધા અને લેક્યૂં સેક્યાની પ્રતિમા દુનિયામાં સૌથી ઉંચી છે.