હનુમાનજીને સંકટ મોચક કહેવામાં આવે છે એટલે કે તે તેમના ભક્તોના તમામ કષ્ટોને દૂર કરીને તેમને સુખી જીવન જીવવાનો માર્ગ બતાવે છે. હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે કોઇ વિશેષ પૂજા-વિધિની જરૂર નથી.
જે ભક્તો નિયમિત રીતે રામ ભગવાનનું નામ લે છે અને હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેમના પર હનુમાન દાદા હંમેશા કૃપા રાખે છે. જો જીવનમાં કોઇ મોટી મુશ્કેલી હોય અને તેનું સમાધાન ના આવતું હોય અથવા તો કોઇ એવી મનોકામના હોય જે લાંબા સમયથી પૂરી ના થતી હોય તો આ ઉપાયથી તમામ કામ પૂર્ણ થશે.
હનુમાનજીને શનિના કષ્ઠોથી મુક્ત કરવાવાળા પણ માનવામાં આવે છે માટે જે વ્યક્તિ પર શનિની દશાઓના કારણે મુશ્કેલીઓ આવી રહી હોય તેમને હનુમાનજીની આરાધનાથી ફાયદો થાય છે અને દુઃખ પીડા દૂર થાય છે. આ ઉપાયને તમે મંગળવારની સાથે શનિવારે પણ ઉપયોગમાં લઈ શકો છો.
હિન્દી પંચાંગ મુજબ કોઈ પણ મંગળાવેર કે શનિવારે શુભ મુહૂર્ત જોઈને સવારે નિત્ય ક્રિયા કર્યા પછી હનુમાન મંદિરે જાવ. અહીં હનુમાન દાદાને એ લીંબુ અને 4 લવિંગ ચઢાવો. લવિંગની ઉપર લીંબુ લગાવીને ભગવાનને ચઢાવો.
આ પછી હનુમાનજીને તેલ અને સિંદૂર ચઢાવો અને પછી હનુમાન ચાલીસાના પાઠ કરો. હવે લીંબુમાંથી લવિંગ કાઢીને તેને હાથમાં લઈને હનુમાનજીને મનોમન પ્રાર્થના કરીને તમારી વાત કહો. આ લવિંગને ઘરે લઈ જઈને સુરક્ષિત જગ્યા પર મૂકી દો. જલદી મનોકામના પૂર્ણ થશે આ પછી ભૂલ્યા વગર લવિંગને પાણીમાં પ્રવાહિત કરી દો.