મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધન બાદ બંને પાર્ટીઓના સુર બદલાઇ ગયા છે, પરંતુ આ પહેલા ત્રણ વર્ષ સુધી બંને એક બીજા પર પ્રહાર કરવાનું ચૂકતા નહતા. એટલે સુધી કે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ તો શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પર ટીકાઓ પણ કરી હતી.
નવી દિલ્હી: અલગ અલગ મંચોથી એકબીજા પર પ્રહાર કર્યા બાદ લોકસભા ચૂંટણી આવતા જ એક વખત ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે લાતૂરમાં એક મંચ પર જોવા મળશે. આવું 3 વર્ષ બાદ થઇ રહ્યું છે જ્યારે એક સાથે બંને નેતા એક મંચ શેર કરી રહ્યા છે.
આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરેએ ડિસેમ્બર 2016માં મેચ શેર કર્યું હતું. એ વખતે અરબ સાગરના કિનારે છત્રપતિ શિવાજી મહારાજનો સ્મારકની આધારશિલતા રાખવા માટે બંને નેતા પહોંચ્યા હતા.
જો કે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધ બાદ બંને પાર્ટીઓના નેતાઓના સૂર બદલાઇ ગયા છે, પરંતુ આ પહેલા 3 વર્ષ સુધી એક બીજા પર પ્રહાર કરવાનું ચૂકતા નહતા. એટલે સુધી કે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ તો શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પર ટીકાઓ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોજી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની લાતૂર અને ઉસ્માનાબાદથી ગઠબંધનના ઉમેદવારોના સમર્થનમાં લાતૂરથી ઔસામાં જનસભા થઇ રહી છે. આ જિલ્લામાં 18 એપ્રિલે મતદાન થવાનું છે.