કોંગ્રેસની પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે, પ્રિયંકાએ પોતાનું રાજીનામુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલી આપ્યુ છે. ચર્ચા ચાલી રહી છે કે તે શિવસેનામાં જોડાઇ શકે છે. 17 એપ્રિલના જ પ્રિયંકાએ પાર્ટીને લઇને પોતાની નારાજગી વ્યકત કરતા ટ્વીટ કર્યુ હતુ, જે પછી તેમનું કોઇ નિવેદન અથવા તો કોઇ ડિબેટ્સમાં પાર્ટીનો પક્ષ મૂક્યો ન હતો.
પ્રિયંકા ચતુર્વેદીએ પોતાની ટ્વિટર પ્રોફાઇલમાં પોતે કોલમિસ્ટ-બ્લોગર-મધર છે અને સાથે જ ટ્વીટ્સને પર્સનલ ગણાવી છે અને રિટ્વીટ્સ વિશે પણ જણાવ્યુ છે.
ટ્વીટમાં કરી ફરિયાદ:
Deeply saddened that lumpen goons get prefence in @incindia over those who have given their sweat&blood. Having faced brickbats&abuse across board for the party but yet those who threatened me within the party getting away with not even a rap on their knuckles is unfortunate. https://t.co/CrVo1NAvz2
જી હા, પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, ''દુખી છું કે પોતાની મહેનતથી આગળ આવનારાની જગ્યાએ ગુંડાઓને કોંગ્રેસમાં જગ્યા મળી રહી છે. પાર્ટીના માટે મેં ગાળો અને પત્થર ખાધા છે, તેમ છતાં પાર્ટીમાં રહેનારા નેતાઓ જ મને ધમકીઓ આપી, જે લોકો ધમકીઓ આપી રહ્યા છે તેઓ બચી ગયા છે, તેમનુ કાર્યવાહી કર્યા વગર બચી જવુ ખેરખરમાં દુર્ભાગ્યપૂર્ણ છે.''
શું છે મામલો:
આ ટ્વીટની સાથે એક ચિઠ્ઠી મૂકવામાં આવી છે જેમાં વિજય લક્ષ્મીના ટ્વિટર પરથી હેન્ડલ કરવામાં આવી છે. વાસ્વતમાં આ મામલો મથુરાની તે પ્રેસ કોન્ફરન્સથી જોડાયેલો છે જેમાં પ્રિયંકાએ રાફેલના મુદ્દા પર ભાજપને ઘેર્યુ હતુ. આરોપ છે કે કોંગ્રેસના સ્થાનીય કાર્યકર્તાઓએ તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો, જે પછી કેટલાક પર કાર્યવાહી પણ કરવામાં આવી. ચિઠ્ઠીમાં અનુશાસનાત્મક કાર્યવાહીના વાત કરવામાં આવી છે, પરંતુ ખલખવામાં આવ્યુ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાના કહેવા પર આ કાર્યવાહી રદ્દ કરવામાં આવી હતી.
સ્મૃતિ ઈરાનીની ડિગ્રીને લઈને આ રીતે ઉડાવી હતી મજાક
#WATCH Congress' Priyanka Chaturdevi: A new serial is going to come, 'Kyunki Mantri Bhi Kabhi Graduate Thi'; Its opening line will be 'Qualifications ke bhi roop badalte hain, naye-naye sanche mein dhalte hain, ek degree aati hai, ek degree jaati hai, bante affidavit naye hain. pic.twitter.com/o8My3RX9JR