બિહારમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે બેઠકોની વહેંચણીને લઈને NDAમાં વિવાદ વકરી રહ્યો છે. બેઠકોની વહેંચણીને લઈને ભાજપના સાથી પક્ષ LJPમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જેના અનુસંધાનમાં LJPના અધ્યક્ષ ચિરાગ પાસવાને અમિત શાહને પત્ર લખ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ચિરાગ પાસવાન બેઠકોને લઈને વિરોધ કરી રહ્યા છે. જો યોગ્ય બેઠકો ન મળી તો 143 બેઠકો પર લડવાની તૈયારી દેખાડી છે. ચિરાગ પાસવાનની આ નારાજગી ભાજપના ગઠબંધન NDA માટે કપરા ચડાણ સમાન હશે.
બિહાર ચૂંટણીનું બ્યૂગલ
ચિરાગ પાસવાને અમિત શાહને લખ્યો પત્ર
બેઠકોની ફાળવણી અંગે અસંતોષ
મળતી માહિતી અનુસાર ચિરાગ પાસવાને ગઈકાલે રવિવારે ગૃહમંત્રી અમિત શાહને એેક પત્ર લખ્યો અને તેમાં બેઠકોની ફાળવણીને લઈને એનડીએમાં કોઈ વાતચીત શરૂ નહીં થઈ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ તેઓએ આ સંબંધમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને પીએમ મોદીને પણ આ પત્રની કોપી મોકલી છે.
રવિશંકર પ્રસાદે આપ્યું નિવેદન
શનિવારે બિહારમાં એનડીએ સાથે મળીને ચૂંટણી લડવાની શક્યતાઓ પર રવિશંકર પ્રસાદે કહ્યું કે એડીએ એક છે. એનડીએ મળીને બિહારમાં ચૂંટણી લડશે. LJPના વલણને જોતાં તેઓએ કહ્યું કે LJP અમારી સાથે છે અને અમે સાથે મળીને ચૂંટણી લડીશું.
143 સીટ પર ઉમેદવાર
બેઠકની વહેંચણીને લઈને LJPના અધ્યક્ષ ચિરાગ પાસવાને છેલ્લા કેટલાક સમયથી પ્રહાર કરવાનું શરૂ કર્યું છે. તેઓએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પણ પ્રહાર કર્યા છે. પાર્ટીની બેઠકમાં LJP સાંસદોએ મુખ્યમંત્રી નીતિશ કુમારના કામનો વિરોધ કર્યો છે. કોરોના, પલાયન અને પૂરના મુદ્દે તેમને ઘેર્યા છે. પીએમ દ્વારા બિહારને સમર્પિત યોજનાઓના ચિરાગ પાસવાને વખાણ કર્યા છે.
અગાઉ પણ પાસવાનની અધ્યક્ષતામાં 7 સપ્ટેમ્બરે LJPની સંસદીય બોર્ડની બેઠક થઈ હતી અને તેમાં 143 સીટ પર જેડીયૂની વિરુધ્ધ ઉમેદવાર ઉતારવાની જાહેરાત થઈ હતી પણ પાર્ટીએ અધ્યક્ષ ચિરાગ પાસવાને અંતિમ નિર્ણય લેવા માટે અધિકૃત કરાયા હતા.
સીટ ફાળવણીને લઈને નીતિશ કુમારનું નિવેદન
એનડીએમાં સીટની ફાળવણીને લઈને કરાયેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે સીટને લઈને હજુ સુધી કોઈ વાત થઈ નથી. તેઓએ કહ્યું કે રામવિલાસ પાસવાન સાથે અમારા સારા સંબંધ છે. ચૂંટણીની જાહેરતા થઈ છે, હવે વાત થશે. ચિરાગ પાસવાનની નારાજગીને લઈને તેઓએ કહ્યું કે ભાજપના પૂર્વ સહયોગી રહેલા દળો પર કંઈ કહેવું નથી. ભાજપ આ મુદ્દે પોતે નિર્ણય લેશે.