Bihar Election 2020 / બેઠકોની વહેંચણીને લઈને NDAમાં વિવાદ, LJPના અધ્યક્ષ ચિરાગ પાસવાને અમિત શાહને લખ્યો પત્ર

lok janshakti party chief chirag paswan wrote home minister amit shah on seat distribution issue assembly election

બિહારમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે બેઠકોની વહેંચણીને લઈને NDAમાં વિવાદ વકરી રહ્યો છે. બેઠકોની વહેંચણીને લઈને ભાજપના સાથી પક્ષ LJPમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જેના અનુસંધાનમાં LJPના અધ્યક્ષ ચિરાગ પાસવાને અમિત શાહને પત્ર લખ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ચિરાગ પાસવાન બેઠકોને લઈને વિરોધ કરી રહ્યા છે. જો યોગ્ય બેઠકો ન મળી તો 143 બેઠકો પર લડવાની તૈયારી દેખાડી છે. ચિરાગ પાસવાનની આ નારાજગી ભાજપના ગઠબંધન NDA માટે કપરા ચડાણ સમાન હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ