સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ મરણીયા થયા છે ત્યારે કોંગ્રેસ ડુબતી નૈયા બચાવવામાં પડ્યુ છે અને ભાજપે પ્રજાલક્ષી કામોની જાહેરાત કરી પેન્ડિંગ કામો પૂરા કરવાની શરૂઆત કરી દીધી છે. આજે CM રૂપાણી સાડા 3 વાગે આ અંગે અગત્યની જાહેરાત કરવાના છે.
આજે CM રૂપાણી કરી શકે છે મોટી જાહેરાત
CM રૂપાણી પ્રજાલક્ષી મોટી જાહેરાત કરશે-સૂત્ર
CM બપોરે 3.30 વાગ્યે કરી શકે છે મોટી જાહેરાત
આજે CM રૂપાણી મોટી જાહેરાત કરી શકે છે. ગાંધીનગરના રાજનૈતિક સૂત્રોએ જણાવ્યું છે કે, CM રૂપાણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી શકે છે. જેમાં CM રૂપાણી પ્રજાલક્ષી મોટી જાહેરાત કરશે. આ અંગે CM રૂપાણી બપોરે 3.30 વાગ્યે જાહેરાત કરશે તેવો ગણગણાટ છે.
CM રૂપાણીને સોંપાઈ મિશન રાજકોટ
ગાંધીનગરમાં રાજકિય સૂત્રોનું માનીયે તો રાજકોટના નામાંકિત લોકો-કોંગ્રેસ નેતાઓ કેસરીયો કરશે. એટલું જ નહીં આની જવાબદારી મિશન રાજકોટ તરીકે CM રૂપાણીની સોંપાઈ છે. 21મી જાન્યુઆરીએ CM રૂપાણી સ્પેશ્યલ હોમટાઉન આવશે અને CM રૂપાણીની હાજરીમાં જ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાશે.
શું કહે છે CM રૂપાણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે CMનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં CM રૂપાણીએ જણાવ્યું છે કે, ભાજપ ચૂંટણી માટે તૈયાર છે. ચૂંટણીમાં ભાજપ જવલંત વિજય મેળવશે. ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાવાની સંભાવના છે.
કોંગ્રેસના મરણિયા પ્રયાસ
ગુજરાતમાં કોંગ્રેસ વિપક્ષ તરીકે ધારાસભ્યના બળથી લઈને સ્થાનિક લેવલે પણ સારૂ એવું પ્રભુત્વ ધરાવે તેમ છતાં કોંગ્રેસમાં આતંરિક વિખવાદ અને ભાજપની લોભામણી ઓફરોને પગલે કોંગ્રેસીઓ ભગવો ધારણ કરી લે છે. ત્યારે કોંગ્રેસના ભાજપના મિશન રાજકોટ વિશે અણસારો આવી ગયો છે. કોંગ્રેસને નેતા તૂટવાના ડરથી દોડવાનું શરૂ કર્યું છે. અને જનસંપર્કથી લઈને અવનવા કાર્યક્રમો આપી કોંગ્રેનો ગઢ સાચવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત, 55 નગરપાલિકા અને 6 મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ચૂંટણીપંચ દ્વારા અંતિમ મતદાર યાદી જાહેર થઈ કરી દેવામાં આવી છે. અને આગામી ફેબ્રુઆરીમાં ટૂંટણી જાહેર થઈ શકે તેમ છે.