ભારતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે રસીકરણ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને હવે કયા રાજ્યને કયા પ્રમાણમાં રસીના ડોઝ આપવા તેના પર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.
ભારતમાં કોરોના વાયરસની રસી માટે તૈયારીઓ
રાજ્યોમાં વૃદ્ધોની સંખ્યા પ્રમાણે આપવામાં આવશે રસીના ડોઝ
જે-તે રાજ્યોને કેટલી રસી પહોંચાડવી તે માટે સરકારે ડેટા ભેગા કરવાની શરૂઆત કરી
કેન્દ્ર સરકાર પ્રોજેક્ટ પર કરી રહી છે કામ
ભારતમાં કોરોના વાયરસની રસી ટૂંક સમયમાં આવી જાય તેની સંભાવના છે અને તેને જોતા કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તૈયારીઓ શરુ કરી છે. ભારતમાં વિવિધ સ્તરમાં રસીકરણ કરવામાં આવશે અને જે તે રાજ્યોને કેટલા પ્રમાણમાં રસીના ડોઝ આપવા તે માટે કેન્દ્ર સરકાર કામ કરી રહી છે.
રસી કોને કેટલી આપવી તેના પર ફોર્મ્યુલા તૈયાર
ભારતમાં કોરોના વાયરસની રસીના વિતરણ માટે માસ્ટર પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. દેશમાં રિસ્ક ફેક્ટરને ધ્યાનમાં રાખીને દેશના રાજ્યોને વેક્સિન આપવામાં આવશે. ભારતમાં સૌથી પહેલા હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કવર કર્યા બાદ જે રાજ્યમાં 50 વર્ષથી વધુ ઉંમરના અન્ય બીમારી ધરાવતા લોકોની સંખ્યા વધારે હોય તેમને વધારે ડોઝ આપવામાં આવશે.
બિહારની કરતા ઓછી વસ્તી છતાં તમિલનાડુને વધારે ડોઝ
સરકારના પ્લાન મુજબ વેક્સિન આપવામાં આવે તો તમિલનાડુને બિહાર કરતા વધારે ડોઝ આપવામાં આવશે. કારણ કે બિહાર કે જ્યાં 12.3 કરોડની વસ્તી છે જ્યાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા 1.8 કરોડ છે જ્યારે તમિલનાડુની વસ્તી હાલ 7.6 કરોડ પણ પણ આ રાજ્યમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા 2 કરોડ છે તેથી આમ તમિલનાડુને વધારે વેક્સિનની ડોઝ આપવામાં આવશે.
ગુજરાતની વાત કરીએ તો વૃદ્ધોની સંખ્યામાં ગુજરાત આઠમા ક્રમે આવે છે જ્યાં રાજ્યમાં એક કરોડને 39 છે જ્યારે 86 લાખ લોકોને ડાયાબિટીઝ અને એક કરોડ સાત લાખ લોકોને હાયપરટેન્શનની સમસ્યા છે.
યુપીને મળશે કોરોનાની રસીના સૌથી વધારે ડોઝ
જે રાજ્યોમાં વૃદ્ધનોની સંખ્યા વધારે છે ત્યાં વધારે રસી આપવામાં આવશે. યુપીમાં 15% લોકો એવા છે જે 50થી વધુ ઉંમરના છે તેથી આ રાજયને સૌથી વધારે ડોઝ આપવામાં આવશે. 50 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા મામલે મહારાષ્ટ્ર બાદ બંગાળ અને તામિલનાડુનો નંબર આવે છે.
કેરળમાં બીમાર લોકોની સંખ્યા વધારે હોવાથી વધારે ડોઝ મળશે
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર દેશમાં 17 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાઈપરટેન્શન અને ડાયાબિટીઝનાં સૌથી વધારે દર્દીઓ કેરળમાં છે જ્યાં 25.3% ડાયાબિટીઝ જ્યારે 13.7% વસ્તીને હાઈપરટેન્શનની બીમારી છે.