આટલું બધું લખ્યા વાંચ્યા પછી જોયા અને સાંભળ્યા પછી એક વાત તો સમજ પડી ગઇ છે કે આપણું શરીર છે ને એ એક કલાનો સૌથી સુંદર નમૂનો છે. એટલે કે એનાથી વધારે કલાકારી આ ધતી પર કોઇ બીજી ચીજ બનાવવા માટે તૈયાર કરવામાં આવી નથી. આ બધા પાછળ માસ્ટર હોય છે આપણું મગજ.
દિમાગ જે ઇચ્છે એ તમારી સાથે કરાવી શકે છે. એટલે કે તમારા શરીરના કોઇ પણ પાર્ટથી કંઇ પણ કરાવી શકે છે. અને એ વધારે આપણાં ફાયદાનું હોય છે.
કોઇક વખત તમે ઘણા સમય સુધી બેઠા બાદ એવું કંઇ થયું છે કે પગમાં ખાલી ચડી હોય. એટલે કે ઝણઝણાટી થાય જેમ કે પગ રહ્યા જ નથી. આવું હાથમાં પણ ઘણી વખત થયું હોય. તો શું તમને ખબર છે આવું શા કારણથી થાય છે? તો ચલો આજે અમે તમને જણાવીએ એના વિશે.
વિજ્ઞાન પ્રમાણે હાથ અથવા પગનું સૂઇ જવું સામાન્ય વાત છે. હકીકતમાં એક જ અવસ્થામાં લાંબા સમય સુધી બેસી રહેવાથી કેટલીક નસો દબાઇ જાય છે. જેના કારણે હાથ અને પગની નસો પર પૂરતાં પ્રમાણમાં ઓક્સિજન પહોંચતો નથી. હવે ઓક્સીજનના અભાવના કારણે એ બોડી પાર્ટ પોતાની બચાવવાનો પ્રયત્ન કરે છે. સૌથી ખાસ વાત એ દરમિયાન એ અંગ માત્ર ખૂબ જ જરૂરી કામ કરે છે. ત્યાંથી આપણું મગજ એક્શનમાં આવે છે.
મગજને જેવી ખબર પડે છે કે કોઇ બોડી પાર્ટ હાથ અથવા પગ અથવા બીજું કોઇ ભાગ મુશ્કિલીમાં છે. દિમાગ તરત જ ઝણઝણાટીનું સિગ્નલ મોકલવાનું શરૂ કરી દે છે. આપણને મજબૂર કરે છે કે આપણે આપણી જગ્યાએથી ઊભા થઇને ચાલવાનું શરૂ કરીએ. જેનાથી શરીરના એ ભાગને ઓક્સીજન મળી જાય. અને એ ભાગ નોર્મલ થઇ જાય.
આમ તો હાથ અથવા પગનું સૂઇ જવું સામાન્ય વાત છે. પરંતુ હાથ અથવા પગ દિવસમાં વધારે વખત સૂવા લાગે અથવા ઝણઝણાટી ખતમ થવામાં વધારે સમય લાગે તો ડોક્ટર પાસે જાવ. સ્લિપ ડિસ્ક મલ્ટીપલ સ્ક્લેરોસિસ અથવા ડાયાબિટીસના કારણે પણ આવું હોઇ શકે છે.