કહેવાય છે કે તુલસીના પાન સ્વાસ્થ્ય માટે ગુણકારી છે અને આ જ કારણોસર આયુર્વેદના વિવિધ નુસ્ખામાં તેનો ઉપયોગ કરવા જણાવાયું છે.આજ ખાસિયત છે કે દરેક ભારતીયના ઘરમાં તુલસી ક્યારો અથવા તુલસીનો છોડ હોય છે અને તેની પુજા પણ કરવામાં આવે છે.આ સાથે આપને જણાવી પણ દઇએ કે તુલસીના પાનની કેટલીક સાઇડ ઇફેક્ટ પણ રહેલી છે.તો અમે આજે આપને જણાવીશું કે તુલસી પત્રની કેટલી અસર રહેલી છે.
ગર્ભવતી મહિલાઓ માટે હાનિકારક
તુલસીપત્ર ગર્ભવતી મહિલાની સાથે તેના પેટમાં ઉછરી રહેલા બાળક માટે પણ હાનિકારક છે. જો કે ક્યારેક ગર્ભપાત પણ થઇ શકે છે.જે માટે ગર્ભવતી મહિલાઓએ તુલસીના પાનનો ઉપયોગ કરવો જોઇએ નહીં.
ડાયાબિટીસના દર્દીએ ઉપયોગ ના કરવો
એક અભ્યાસમાં જણાવાયું છે કે તુલસીના પાનનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે તેવી જ રીતે ડાયબિટીસના દર્દીઓ જે દવાનું સેવન કરી રહ્યા છે તેવા દર્દીઓએ તુલસીના પાનનું સેવન કરવું હાનિકારક છે.
ફર્ટિલિટી થાય છે પ્રભાવિત
આ બાબતે માણસો પર કોઈ ખાસ રિસર્ચ કરવામાં આવેલ નથી પરંતુ ખાસ કરીને પ્રાણીઓ પર કરવામાં આવેલી અભ્યાસમાં ખુલાસો થયો છે કે તુલસીના પાનનું સેવન કરવાથી મેલ અને ફીમેલ બન્ને જેન્ડર્સની ફર્ટિલિટી એટલે કે બાળકને જન્મ આપવાની ક્ષમતા પર નકારાત્મક અસર પડે છે. તેથી બાળકને જન્મ આપવામાં તકલીફ પડી શકે છે.
તુલસીના પાન લોહીને કરે છે પાતળું
લોહી પાતળું કરવા માટે તુલસીના પાન જાણીતા છે. જે લોકો પોતાના લોહીને પાતળું કરવા માટે ઘરેલુ નુસ્ખા તરીકે તુલસીના પાનનું સેવન કરી શકાય છે. પરંતુ જો તમે લોહી પાતળું કરવા માટે દવા ખાઈ રહ્યા છો તો તુલસીના પાન ખાવાનું ટાળવુ જોઇએ. આમ કરવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે.
લિવરને થઇ શકે છે નુકસાન
WHOના જણાવ્યા પ્રમાણે જે લોકો એસ્ટામિનોફેન(તુરંત દર્દ દૂર કરતી દવા) જેવી દવાઓનું સેવન કરી રહ્યા છે સાથે જ તુલસીના પાનનું પણ સેવન કરી રહ્યા છે તેવા લોકોના લિવરને નુકસાન પહોંચવાની શક્યતામાં વધારો થાય છે.
દાંતને પણ થઇ શકે નુકસાન
આપને જણીવી દઇએ કે તુલસીના પાનને ચાવીને ના ખાવા જોઇએ. પરંતું તેને સીધા ગળી જવા જોઇએ. આ પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ આપવામાં આવેલ છે કે તુલસીમાં જોવા મળતા આયરન જેને ચાવવાથી દાંત પર સફેદ ડાઘ પડી શકે છે.