કેળાંમાં ભરપૂર માત્રામાં ગ્લૂકોઝ હોય છે જે શરીરને ઉર્જા આપે છે. આ ઉપરાંત કેળાંમાં કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ અને તાંબુ પણ હોય છે. કેળું લોહીનું શુદ્ધિકરણ કરે છે અને હાડકાં મજબુત બનાવે છે પરંતુ ખૂબજ ફાયદાકારક એવાં કેળાંનાં કેટલાંક નુકસાન પણ છે. સમજ્યા-વિચાર્યા વગર જો તેનું સેવન કરવામાં આવે તો શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે. જી હા જાણો વધારે પડતાં કેળાના સેવનથી થતાં 5 નુકસાન વિશે....
માઇગ્રેન: જેમને વારંવાર માઇગ્રેનના અટેક આવતા હોય તેમણે તરત જ કેળાં ખાવાનાં બંધ કરવાં જોઇએ. કેળામાં ટાયરામાઇન નામનું તત્વ હોય છે જેનાથી માઇગ્રેનની સમસ્યા વધી શકે છે.
દાંત સડવા: કેળાંમાં ભરપૂર માત્રામાં સ્ટાર્ચ હોય છે જે દાંતને નુકસાન પહોંચાડી શકે છે. એક રિસર્ચ મુજબ કેળાંમાં ચોકલેટ કરતાં પણ વધુ સ્ટાર્ચ હોય છે.
કબજિયાત: અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે કેળાના સેવનથી પાચનતંત્રના કામમાં સુધારો આવે છે પરંતુ કેળામાં રહેલ ટૈનિટ એસિડ પાચન તંત્ર પર અસર કરે છે. સારી રીતે પાકેલું કેળું કબજિયાતમાં રાહત આપે છે.
સ્નાયુ ડેમેજ કરે: કેળામાં ભરપૂર માત્રામાં વિટામિન B6 હોય છે. એટલે કેળાના વધારે પડતા સેવનથી સ્નાયુઓ ડેમેજ થાય છે. જે લોકો નિયમિત કસરત કરતા હોય તેમને વાંધો નથી આવતો પરંતુ કસરત ન કરતા લોકોએ વધારે પડતાં કેળાંનું સેવન ન કરવું જોઇએ.
પેટમાં દુખાવો: કેળાંમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે જેને પચવામાં વધુ સમય લાગે છે. ઘણીવાર આ જ કારણે પેટમાં દુખાવાની સમસ્યા પણ ઉદભવે છે. કેળું બરાબર પાકેલું ન હોય તો પેટમાં દુખાવો અને ઉલટીની સમસ્યા પણ સતાવી શકે છે.