LIC ની આધારશિલા યોજના એક ગેરેન્ટેડ રિટર્ન એન્ડોમેન્ટ યોજના છે. આ માર્કેટથી જોડાયેલી યોજના નથી. આ જીવન વીમા યોજના લાભની સાથે છે અથવા તમને એમા બોનસની સુવિધાનો લાભ આપવામાં આવે છે. LICની આધારશિલા યોજના તમને એક જ સમય પર સુરક્ષાની સાથે બચત પણ પૂરી પાડે છે. એને ખાસ કરીને એ મહિલાઓ માટે બનાવવામાં આવી છે જેની પાસે UIDAI દ્વારા આપવામાં આવેવું આધાર કાર્ડ ઉપલબ્ધ છે. આ યોજના મેચ્યોરિટીથી પહેલા તમતમારા ના હોવા પર તમારા પરિવારને નાણાંકીય સહાયતા પૂરી પાડે છે. જો તમે પોલિસીની સમય સુધી જીવિત રહો છો તો તમને મેચ્યોરિટી પર એક નક્કી રકમની ચુકવણી કરવામાં આવે છે.
જો પોલિસી ધારકનું મૃત્યુ પોલિસી શરૂ થતા પહેલા 5 વર્ષમાં થાય છે તો એને મૃત્યુ પર મળનારા લાભની ચુકવણી કરવામાં આવે છે.
જો પોલિસી ધારકનું મૃત્યુ પોલિસી શરૂ થયાના 5 વર્ષ બાદ પરંતુ મેચ્યોરિટી પહેલા થાય છે તો એના નોમિનીનવે મૃત્યુ પર મળનારી રકમ સાથે જો બીજું કંઇ હોય તો એની પણ ચુકવણી કરવામાં આવે છે.
જો પોલિસી ધારક સમગ્ર પોલિસી સમય સુધી જીવીત રહે છે અને એને પૂરા પ્રીમિયમની ચુકવણી કરી છે તો એને મેચ્યોરિટી પર મળનારી રકમની સાથે લોયલ્ટી એડિસન્સની પણ ચુકવણી કરવામાં આવે છે.
જો તમે પોલિસીમાં 5 વર્ષ સુધી બન્યા રહો છો અને તમામ પ્રીમિયમની ચુકવણી કરી છે તો એ યોજના હેઠળ તમારી પોલિસી અવધિ દરમિયાન મૃત્યુ થવા પર અથવા મેચ્યોરિટી પર લોયલ્ટી એડિસન મેળવવા માટે યોગ્ય રહો છો. તમને મળનારી લોયલ્ટી એડિસનના દરની જાહેરાત એલઆઇસી દ્વારા કરવામાં આવે છે.
એવી પોલિસી જે બંધ થઇ ગઇ છે અને પેડ પર પર ચાલી રહી છે એને ફરીથી રિવાઇવ કરી શકાય છે. પરંતુ એને પુનજીવીત છેલ્લા ભરેલા પ્રીમિયનથી બે વર્ષની અંદર કરવામાં આવી શકે છે.
જો પોલિસી ધારક ઇચ્છે તો પોલિસી સરન્ડર કરી શકે છે અને સરન્ડર વેલ્યૂ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ સરન્ડર વેલ્યૂ ત્યારે લાગૂ થાય છે જ્યારે તમે પોલિસી હેઠળ ત્રણ વર્ષનું પ્રીમિયમ ભરેલું છે.