આજરોજ લીબિયામાં એક કસ્ટડી સેન્ટર પર હવાઇ હુમલા કરવામાં આવ્યો છે જેમાં 40 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 80 લોકો ઘાયલ થયા છે. લીબિયામાં હાલ ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે, જો કે આ હુમલો કઇ બાજુથી કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી.
એક મળતાં અહેવાલ મુજબ લીબિયાની રાજધાની ત્રિપોલીના ઉનગર તજૌરામાં આ હુમલો કરવામાં આવ્યો છે. ત્રિપોલીમાં યૂએન સમર્થિત સરકારે આ હુમલા માટે ખલીફા ઇફતારના લડાખુઓને જવાબદાર ગણાવ્યાં છે અને તેઓને યુધ્ધના અપરાધી કહ્યાં છે.
An airstrike by#LNA's airforce targeted Migrant's accommodation Center in Tajoura south of the capital this night. the first pictures show the effects of bombing. according to the ministry of Health in GNA, 150 killed at least. pic.twitter.com/7hF3SlONCx
લીબિયામાં આવા ડઝન કરતાં વધારે ગેરકાયદેસર રહેતા પ્રવાસીઓને કેદ રાખવામાં આવ્યાં છે. આવા જ એક કસ્ટડી સેન્ટર પર હવાઇ હુમલો કરવામાં આવ્યો છે. લીબિયાની રાજધાની ત્રિપોલીના ઉપનગર તજૌરામાં હવાઈ હુમલો થતા 40 લોકોનાં મોત થયા છે. જ્યારે આ હુમલામાં 80 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે.
લીબિયામાં હાલની પરિસ્થિતિ જોતા ગૃહ યુદ્ધ જેવો માહોલ નજરે પડી રહ્યો છે. એક આફ્રિકી પ્રવાસી પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રાપ્ત વિગતો મુજબ, ત્રિપોલમાં યૂએન સમર્થિત સરકારે આ હુમલા માટે ખલીફા હફ્તારના લડાકૂ વિમાનોને જવાબદાર ગણાવ્યા છે.
ગેરકાયદેસર રીતે ઈટલી જતા આફ્રીકી પ્રવાસીઓ માટે લીબિયા મુખ્ય કેન્દ્ર છે. અહીંથી આફ્રીકી વોટ દ્વારા તેઓ ઈટલી પલાયન કરતા હોય છે. જોકે, આ રીતે ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરવાના મામલે લીબિયા પોલીસે અનેક લોકોની ધરપકડ પણ કરી છે. જોકે, યૂરોપિયન યૂનિયન આ પ્રકારના પલાયનનો વિરોધ કરતુ આવ્યુ છે અને ગેરકાયદેસર આફ્રીકીઓને પોતાના દેશમાં નથી આવવા દેતા.