કર્ણાટક કોંગ્રેસનાં નેતા ઈબ્રાહિમે પાર્ટીના પ્રાથમિક સભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે,અને આ અંગેનો પત્ર તેઓએ કોંગ્રેસ નાં રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને પણ મોકલ્યો છે.
કર્ણાટક કોંગ્રેસનાં નેતાએ છોડી પાર્ટી
હવે જનતાદળ (એસ) સાથે જોડાશે
સી એમ ઈબ્રાહિમ નારાજ હતા પાર્ટીથી
કર્ણાટક કોંગ્રેસનાં નેતા ઈબ્રાહિમે પાર્ટીના પ્રાથમિક સભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે,અને આ અંગેનો પત્ર તેઓએ કોંગ્રેસ નાં રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને પણ મોકલ્યો છે. તેઓ જડી JDSમાં શામેલ થઇ શકે છે.
કર્ણાટક કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને વિધાન પરિષદ સભ્ય સી એમ ઈબ્રાહિમે કહ્યું કે તેઓએ પાર્ટીના પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપી દીધું છે અને જનતા દલ (એસ )માં શામેલ થવાની ઈચ્છા ધરાવે છે. જો કે વરિષ્ઠ રાજનેતાએ કહ્યું કે, એક-બે દિવસમાં પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા સહીત જનતાદળ (એસ) નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ પ્રાદેશિક પાર્ટીમાં શામેલ થવાના પોતાના નિર્ણયની ઘોષણા કરશે
સોનિયા ગાંધીને પત્ર
ઈબ્રાહિમના JDSમાં શામેલ થવાની સંભાવનાઓ પર પ્રતિક્રિયા આપતા દેવગૌડાએ કહ્યું કે પાર્ટી ચર્ચા કરશે અને પછી નિર્ણય લેશે. ઈબ્રાહિમે પત્રકારોને કહ્યું કે કોન્ગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું.સોનિયા ગાંધીને પણ હત્લીખિત પત્ર મોકલ્યો છે
તેઓએ કહ્યું કે, વિધાન પરિષદના સભ્યના રૂપમાં રાજીનામું આપું છું. વિધાન પરિષદના સભાપતિને સંભોધતો પત્ર વિપક્ષના નેતા ( વિધાન સભા ) સીદ્ધારમૈયાને મોકલ્યો છે . તેઓ રજૂ કરીને સ્વીકાર કરાવી શકે છે. રાજીનામું સ્વીકાર થયા બાદ ભાજપા પરિષદને બહુમત મળશે અને ત્યાર બાદ ધર્માન્તરણ તરફી પ્રસ્તાવ ( જે અટવાયેલો છે ) આસાનીથી પસાર થઇ જશે. હું આને તેમના પર છોડું છું.
તેઓએ કહ્યું કે, સોનિયા ગાંધી,રાહુલ ગાંધી સિદ્ધારમૈયા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમાર સહીત રાષ્ટ્રીય અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓનો અભાર માનતા કહ્યું કે, હવે હું સ્વતંત્ર વ્યક્તિ છું .અને મને કોઈ પણ નિર્ણય લેવાની સ્વતંત્રતા છે. પોરવ કેન્દ્રિય મંત્રી અને એક સમયે દેવગૌડા નાં સહયોગી રહેલા ઈબ્રાહીમ 2008 માં કોંગ્રેસમાં શામેલ થયા હતા.અને છેલા કેટલાક સમયથી પાર્ટી અને સિદ્ધારમૈયાથી નારાજ હતા. કોંગ્રેસ છોડવાનો તેમનો નિર્ણય બીકે હરિપ્રસાદને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાયા બાદ આવ્યો છે. જે પદ પર તેમની નજર હતી