જલિયાવાલા બાગના નવીનીકરણને લઈને સરકારની વિરોધમાં લોકોમાં સોશ્યલ મીડિયા પર રોષ વ્યક્ત થતો જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે દેશનું કર્તવ્ય છે કે ઈતિહાસની રક્ષા કરે.
જલિયાવાલા બાગના નવીનીકરણ પર નારાજ થયાં યુઝર્સ
પીએમ મોદીએ કહ્યું કે દેશનું કર્તવ્ય છે કે ઈતિહાસની રક્ષા કરે
યૂઝર્સે કહ્યું લાઈટો લગાડી ઉજવણી કરવાની ક્યાં જરૂર હતી
ભારતના ઈતિહાસમાં નોંઘાયેલા એક કાળા અધ્યાય જલિયાવાલા બાગના નવીની કરણને લઈને સરકારના વિરોધમાં સોશ્યલ મીડિયા પર લોકોનો ગુસ્સો અને આલોચના જોવા મળી રહી છે. અહીં 102 વર્ષ પહેલા 1000થી વધારે લોકોને મારી દેવામાં આવ્યા હતા. ખાસ કરીને આ આલોચના એ વાતને લઈને થઈ છે જેને બદલી દેવામાં આવી છે. આ વાતમાં જનરલ ડાયરે પોતાના લોકોનું નતૃત્વ કરતા બૈસાખી પર શાંતિથી પ્રદર્શન કરી રહેલા પુરુષો અને મહિલાઓ પર ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો હતો.
What the hell is wrong with this man? What is so celebratory about the Jallianwala Bagh massacre that you need a light and sound show there for heavens sake? But I mean how can we expect those who were colluding with the British to understand the horrors of this day. https://t.co/wtZo24yzFv
સોશ્યલ મીડિયા પર ભડકી રહ્યો છે યૂઝર્સનો ગુસ્સો
શનિવારે પીએમ મોદીએ પરિસરનું ઉદ્ધાટન કરતા કહ્યું કે દેશનું કર્તવ્ય છે કે તેના ઈતિહાસની રક્ષા કરે. આ સાથે સોશ્યલ મીડિયા પર અનેક લોકોએ સરકાર પર નવીનીકરણના નામે ઈતિહાસને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. અન્ય લોકોએ આરોપ લગાવ્યો કે રાજનેતાઓને ભાગ્યે જ ક્યારેક આ ઈતિહાસની અનૂભૂતિ થાય છે. ઈતિહાસકાર એસ ઈરફાન હબીબે ટ્વિટ કર્યું કે આ સ્મારકોનું નિગમીકરણ છે જ્યાં આધુનિક સંરચનાના રૂપમાં સમાપ્ત થાય છે અને વિરાસત મૂલ્ય ખોવી દે છે.
Insulting our martyrs.
Jallianwala Bagh massacre of Hindus Muslims Sikhs who gathered together for Baisakhi galvanised our freedom struggle.
Every brick here permeated the horror of British rule.
Only those who stayed away from the epic freedom struggle can scandalise thus. https://t.co/KvYbl840qE
સૌથી તીખી આલોચના સીપીએમના સીતારામ યેચૂરીએ કરી તેઓએ કહ્યું કે ફક્ત તેઓ જે સ્વતંત્રતા સંગ્રામથી દૂર રહે છે તે જ આ પ્રકારના કાંડ કરી શકે છે.
કોંગ્રેસે પણ ભારતમાં દક્ષિણપંથના ઈતિહાસનો હવાલો આપીને સરકાર પર કસ્યો તંજ
ઈતિહાસકાર કિમ એ વૈગનરે ટ્વિટ કર્યું કે આ સાંભળીને સ્તબ્ધ છું કે 1919ના અમૃતસર નરસંહારના સ્થળ જલિયાવાલા બાગને નવું રૂપ અપાયું છે તેનો અર્થ એ છે કે ઘટનાના અંતિમ નિશાન પ્રભાવી રૂપથી હટાવી દેવાયા છે. મેં મારા પુસ્તકમાં સ્મારકને વિશે લખ્યું છે, એક સ્થાનનું વર્ણન કરતાં જે હવે એક ઈતિહાસ બની ગયો છે.