જો તમે પણ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)ના ગ્રાહક છો તો તમારા માટે એક મહત્વના સમાચાર છે.
વાસ્તવમાં SBIએ 1 જૂલાઇથી પોતાની નિયમોમાં બદલાવ કરવાની જાહેરાત કરી છે. આ બદલાવની સીધી અસર બેંકના 42 કરોડ ગ્રાહકો પર પડશે. જાણો શું છે આ બદલાયેલો નિયમ....
SBIની તરફથી કહેવામાં આવ્યુ છે કે, 1 જૂલાઇથી રેપો રેટથી જોડાયેલી હોમ લોન ઑફર કરવામાં આવશે. જેનો મતલબ થાય છે કે, આગામી મહિનાથી SBIની હોમ લોનનુ વ્યાજ રેપો રેટ પર આધારિત થઇ જશે. જો સરળ ભાષામાં કહી તો જ્યારે-જ્યારે રિઝર્વ બેંક રેપો રેટમાં બદલાવ કરશે તો તેના આધાર પર SBIની હોમ લોનનુ વ્યાજ નક્કી કરવામાં આવશે.
હાલમાં બેંકો પોતાના આંતરિક બેન્ચમાર્કના આધારે લોનનો વ્યાજ દર નક્કી કરતી હોય છે. બેંકો પાસે પોતાના ફંડની કોસ્ટને આધારે લોન પર વ્યાજ દર નક્કી થાય છે. જ્યારે રેપો રેટ એટલે કે એ દર જેના પર RBI બેંકોને ટૂંકાગાળા માટે નાણી ધીરે છે. બેંક જે પછી ગ્રાહકોને નાણા ધીરે છે. રેપો રેટમાં ઘટાડો થાય તેનો મતલબ થાય છે કે, બેંકથી મળતી લોન સસ્તી થઇ જાય છે.
વર્તમાનમાં RBIના રેપો રેટમાં બદલાવ પછી SBI પોતાના હિસાબે હોમ લોનના વ્યાજ પર બદલાવ કરી શકે છે. તમને જણાવી દઇએ કે ગુરુવારે RBIS સતત ત્રીજી વખત રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરીને તેણે 5.75% પર લાવી દીધો.
દાખલા તરીકે, RBIએ ગત 6 મહિનામાં સતત 3 વખત રેપો રેટમાં બદલાવ કર્યો છે. ડિસેમ્બરથી જૂનની વચ્ચે રેપો રેટમાં કુલ 0.75%નો ઘટાડો થયો છે. આગળ આવી પરિસ્થિતિ થશે તો SBIની હોમ લોન વધારે સસ્તી થશે. જોકે રેપો રેટમાં કોઇ બદલાવ નહી થાય તો SBI હોમ લોનનું વ્યાજ પણ સ્થિર રહેશે.
ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક મૌદ્રિક નીતિ સમિતિ વર્ષમાં 6 વખત એટલે કે દર બીજા મહિને રેપો રેટની સમીક્ષા કરે છે. જેનો મતલબ થાય છે જો દર બીજા મહિનામાં રેપો રેટમાં બદલાવ કરવામાં આવે તો SBIની હોમ લોનના વ્યાજ દરમાં તે રીતે ઘટાડો-વધારો થશે.