રાંચીના રિમ્સમાં સારવાર લઇ રહેલા લાલૂ પ્રસાદ યાદવની હાલત ચિંતાજનક બનેલી છે. લાલૂના દીકરા તેજસ્વી અનુસાર તેમની છાતીમાં પાણી ભરાઇ ગયું છે અને તેમનો ચેહરો ફૂલી ગયો છે. લાલૂ યાદવની હાલત જોતા આજે શનિવારે તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી સ્થિતિ એઇમ્સમાં લઇ જવાયા. જ્યાં તેમની સારવાર ચાલશે. લાલૂ યાદવ રાંચીના રિમ્સથી એર એમ્બ્યુલન્સથી દિલ્હી પહોંચ્યા. AIIMSના કાર્ડિયો ન્યૂરો સેન્ટરમાં દાખલ કરાયા.
પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને એર એમ્બ્યુલન્સ દ્વારા આજે શનિવારે દિલ્હીના એઇમ્સમાં શિફ્ટ કરવામાં આવશે. આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, અને પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવ, દીકરી મીસા ભારતીએ લાલૂ યાદવે મુલાકાત કરી.
દિલ્હીના એઇમ્સ પહોંચ્યા લાલૂ
પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને એર એમ્બ્યુલન્સ મારફતે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ લઇ જવાયા, જ્યાં તેમની સારવાર કરવામાં આવશે. લાલૂને રાંચીથી લઇ જઇ રહેલા એર એમ્બ્યુલન્સે 8:50એ દિલ્હીમાં લેન્ડ કર્યું. અહીંથી તેમણે એર રેસ્ક્યૂ નામની એમ્બ્યુલન્સથી એઇમ્સ લઇ જવાયા.