તિકુનિયા હિંસા કાંડમાં મુખ્ય આરોપી આશિષ મિશ્રા ઉર્ફે મોનૂની જેલમાં તબિયત ખરાબ થઈ ગઈ છે.
આશિષ મિશ્રાને ડેંગી થઈ ગયો
પોલીસે આશિષે જેલથી હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધો
હિંસામાં 4 ખેડૂતોને ગાડીઓથી કચડી હત્યા કરી દીધી હતી
આશિષ મિશ્રાને ડેંગી થઈ ગયો
પોલીસ રિમાન્ડ દરમિયાન સમાચાર મળ્યા છે કે આશિષ મિશ્રાને ડેંગી થઈ ગયો છે. સૂત્રોથી પ્રાપ્ત જાણકારી અનુસાર પોલીસે તેને જેલથી હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધો છે. તપાસ રિપોર્ટમાં આશિષ મિશ્રાને ડેંગી થવાની ખરાઈ કરી હતી.
પોલીસે આશિષે જેલથી હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધો
લખીમપુર ખીરી મામલાના પ્રમુખ આરોપી અને પોલીસ રિમાન્ડ પર ચાલી રહેલા આશીષ મિશ્રાની તબિયત ખરાબ થયા બાદ તેને જેલ હોસ્પિટલમાં શિફ્ટ કરવાના સમાચાર આવ્યા હતા. તેની પહેલા કોર્ટે આશિષ સહિત આ મામલાના 4 આરોપીઓને ગત શુક્રવારે 2 દિવસના રિમાન્ડમાં મોકલ્યો હતો. આનાથી આશિષ મિશ્રા, અંકિત દાસ, શેખર ભારતી અને લતીફ શામિલ છે.
હિંસામાં 4 ખેડૂતોને ગાડીઓથી કચડી હત્યા કરી દીધી હતી
ઉલ્લેખનીય છે કે આ મામલામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ સ્કોર્પિયોમાં સવાર 3 અન્ય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાનુસાર લખીમપુરમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાની ઘટનાના સમયે મોહિત ત્રિવેદી, રિંકુ રાણા અને ધર્મેન્દ્ર સિહં સૌથી પાછળ ચાલી રહેલી સ્કોર્પિયોમાં સવાર હતા. આ મહિનાની શરુઆતમાં 3 ઓક્ટોબરે લખીમપુર ખીરીમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના નિવેદનનો વિરોધમાં ખેડૂત પ્રદર્શન કરવા ભેગા થયા હતા. આ દરમિયાન થયેલી હિંસામાં 4 ખેડૂતોને ગાડીઓથી કચડી હત્યા કરી દીધી હતી. આ બાદ ભડકેલી હિંસામાં ભાજપના 4 કાર્યકર્તાઓના મોત થયા હતા. ત્યારે ઘટનામાં એક સ્થાનીય પત્રકારનો પણ જીવ ગયો છે.