વાયુ વાવાઝોડાને પગલે NDRFની ટીમ અલર્ટ થઈ ગઈ છે. દરિયાકાઠાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRF તૈનાત રહેશે. મળતી માહિતી મુજબ બચાવ રાહતની કામગીરી માટે સૌરાષ્ટ્રમાં NDRFની ટીમ તૈનાત રહેશે. તો અલગ અલગ સેન્ટરો પરથી પણ NDRFની ટુકડીઓ મોકલાશે. વડોદરાથી NDRFની 9 ટીમો દરિયાકાંઠા વિસ્તારોમાં જશે. જ્યારે પૂના અને ભટીંડાથી 5-5 ટીમો ગુજરાત આવશે.