ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોનાના કારણે જાહેર કરાયેલા લોકડાઉન બાદ આંશિક છૂટછાટ સાથે અનલોક જાહેર કરવામાં આવ્યું. જો કે હજુ પણ સ્કૂલ-કોલેજ સહિત મંદિર ખોલવામાં આવી રહ્યાં નથી. જો કે કોરોનાકાળ વચ્ચે રાજ્ય સરકાર કચ્છમાં રણોત્સવ ઉજવવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં આગામી 12 નવેમ્બરથી કચ્છમાં રણોત્સવનો પ્રારંભ થશે.
કોરોનાકાળ વચ્ચે પણ રણોત્સવ યોજાશે
ક્ચ્છ રણોત્સવ 2020ની તારીખ જાહેર
12 નવેમ્બરથી કચ્છમાં રણોત્સવનો પ્રારંભ
કોરોના કાળ વચ્ચે આગામી કચ્છ રણોત્સવ 2020ની તારીખ જાહેર કરવામાં આવી છે. 12 નવેમ્બરથી કચ્છમાં રણોત્સવનો પ્રારંભ થશે. જો કે હાલ રણમાં પડેલા ભારે વરસાદના પગલે રણમાં પાણી ભરાયાં છે.
દેશ અને દુનિયાના પ્રવાસીઓને આકર્ષતાં કચ્છનાં ધોરડો ખાતે સફેદ રણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છ રણોત્સવ-2020નું આયોજન કરવામાં આવનાર છે.
ક્ચ્છ રણ ઉત્સવ 2020 અંગે રાજ્ય પ્રવાસન મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં રાજયમંત્રી વાસણ આહિરે વિટીવી સાથે ખાસ વાતચીત કરી છે. રણ ઉત્સવ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અંતિમ નિર્ણય લેશે. રાજ્ય મંત્રી વાસણ આહિરે જણાવ્યું કે રણ ઉત્સવ દર વર્ષે નવેમ્બરમાં યોજાય છે, સ્થાનિક લોકોએ તૈયારી ચાલુ કરી છે, જો કે પ્રવાસન વિભાગ દ્વારા હજુ કોઈ તારીખ જાહેર કરાઈ નથી.