કચ્છ:વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ભુજમાં અધિકાર રેલીને સંબોધી હતી.મેવાણીએ દલિત સમુદાયના પ્રશ્નોને લઈ સરકાર સામે પ્રહારો કર્યા હતા.કચ્છ જિલ્લામાં આવેલી કેટલીક જમીન દલિત સમુદાયની છે અને તેના પર અન્ય લોકો કબજો કરીને બેઠા છે તેવો દાવો કરવામાં આવ્યો છે.
જેને લઈ મેવાણીએ ચિમકી ઉચ્ચારી છે કે જમીન દલિતોને પાછી આપવામાં નહીં આવે તો સામખિયાળી નેશનલ હાઈવે બંધ કરવામાં આવશે તો ભચાઉમાં દલિતોને ફાળવાયેલી જમીન પર 35 વર્ષથી દબાણ કરવામાં આવ્યું છે.જે દૂર કરી જમીન દલિતોને આપવામાં આવે તે બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.