કચ્છના કોંગ્રેસના ધારાસભ્યનો બફાટ સામે આવ્યો છે. અબડાસાના ધારાસભ્યએ વિવાદિત નિવેદન આપ્યું છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના વિવાદિત નિવેદનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓએ કહ્યું કે, ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈને આવનાર બધા ધંધાદારીઓ છે.
ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈને આવનાર બધા ધંધાદારીઓ: પ્રદ્યુમનસિંહ
વિધાનસભામાં આવનાર કોઈ ધર્મ કે કોઈ પક્ષનો નથી: પ્રદ્યુમનસિંહ
સૌ ધંધાદારીઓ છે પોતાના ધંધાનું વિચારે છે: પ્રદ્યુમનસિંહ
પોતાની સાદગી અને સરળતાને લઇને પ્રખ્યાત બનેલા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ એક જાહેર કાર્યક્રમમાં આ બફાટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં આવનાર કોઈ ધર્મ કે કોઈ પક્ષનો નથી. પરંતું સૌ ધંધાદારીઓ છે અને પોતાના ધંધાનું વિચારે છે.
મારૂં સપનું હતું કે અહીં આવીને કંઇક કરીશ. મારા મિત્રો હતા ટિકિટ મળી અને હું ચૂંટાઇ ગયો. પરંતુ હું ત્યાં ગયો તો મને અફસોસ થયો. કેમકે ત્યાં કોઇ કોઇનું નથી. સૌ કોઇ પોતાનું કરે છે. ચૂંટાઈને આવ્યા બાદ પ્રજાના કામ કરવાના બદલે પોતાના ધંધાને વિકસાવવાનું વિચારે છે.