આજના દિવસની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રી માટે સારી ન હતી. ટીવી એક્ટર્સ કુશલ પંજાબીના મોતના સમાચારે સૌને હચમચાવી દીધા છે. 37 વર્ષના કુશલે પોતાના ફ્લેટના પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. તેમનો દીકરો છે, જેનું નામ કિયાન છે. જ્યાં સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રી કુશના જવાનો શોક મનાવી રહી છે ત્યારે હવે બૉલીવુડ એક્ટર અક્ષય કુમારે પણ આ વિશે પ્રતિક્રિયા આપી છે.
કુશલે પોતાના ફ્લેટના પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી
કુશલે મારી સાથે એક ફિલ્મ (અંદાજ-2003)માં કામ કર્યું હતુંઃ અક્ષય
જૉન અબ્રાહમ અને કુશલ પંજાબીએ ફિલ્મ દન દના દન ગોલમાં સાથે કામ કર્યું હતું
કુશલ પંજાબી અંગે અક્ષય કુમારે આપી પ્રતિક્રિયા
મીડિયા સાથે વાત કરતા અક્ષય કુમારે કહ્યું કે, કુશલે મારી સાથે એક ફિલ્મ (અંદાજ-2003)માં કામ કર્યું હતું. દરેકની પોતાની મુશ્કેલીઓ હોય છે. કેટલાક લોકો એ સમજી જાય છે પરંતુ કેટલાકને એ સમજમાં નથી આવતું. હંમેશા યાદ રાખો કે તમારો પરિવાર સૌથી જરૂરી છે. પોતાની મુશ્કેલીઓનો સામનો કરવાની હિમ્મત રાખો કારણ કે જીવન ખુબસૂરત છે. તમારા માતા-પિતાએ આ સુંદર જીવન આપ્યું છે. તમે તમારા જીવન પર ધ્યાન આપો પરંતુ પોતાના ડિપ્રેશનની પણ સારવાર કરાવો.
જૉને પણ કર્યું ટ્વીટ
અક્ષય કુમાર સિવાય એક્ટર જૉન અબ્રાહમે પણ કુશલ પંજાબીના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. જૉને ટ્વીટ કરીને લખ્યું કે, મારૂ દિલ તૂટી ગયું છે. ભગવાન તમારી આત્માને શાંતી આપે કુશલ.
જૉન અબ્રાહમ અને કુશલ પંજાબીએ ફિલ્મ દન દના દન ગોલમાં સાથે કામ કર્યું હતું. આ સ્પોર્ટ્સ ફિલ્મમાં જૉન અને કુશલ સાથે અરશદ વારસી પણ હતા.
જણાવી દઇએ કે કુશલ પંજાબીના કૉ-સ્ટાર અને મિત્ર કરણવીર બોહરા, અલીશા પંવાર અને બખ્તિયાર ઈરાની સાથે અન્ય ટીવી કલાકારે કુશલના દુનિયા છોડવા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. કુશલ પંજાબીની એક્સ-ગર્લફ્રેન્ડ મેઘના નાયડૂએ કહ્યું કે આ સમાચાર જાણ્યા બાદ મોટો ઝટકો લાગ્યો છે. તેમણે પણ કુશલન સુસાઇડ વિશે વાત કરતા દુઃખ વ્યક્ત કર્યું છે.
સામે આવી સુસાઇડ નોટ
જ્યાં કુશલ પંજાબીએ આત્મહત્યા કરવાનું કોઈ કારણ સામે નથી આવ્યું. ત્યારે ડીસીપી પરમજીત સિંહ દહિયાએ ખુલાસો કર્યો છે કે કુશલના મોતની જગ્યા પર એક સુસાઇડ નોટ મળી છે. કુશલે કોઇને પણ પોતાના મોતના જવાબદાર નથી ગણાવ્યા.
જણાવાય રહ્યું છે કે, કુશલ પંજાબીનું લગ્ન જીવન મુશ્કેલીમાં ચાલી રહ્યું હતું. તેમની પત્ની ઑડ્રે દીકરા કયાનને લઇને અલગ રહેતી હતી. કુશલના અંતિમ સંસ્કાર કાલે (શનિવાર) થશે અને માનવામાં આવી રહ્યું છે કે ઑડ્રે આના માટે કાલે ફ્રાન્સથી ભારત આવશે.