ગાંધીનગરમાં આજે લૉકડાઉન 4.0ના અંત પહેલાની અંતિમ કેબિનેટની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. આ કેબિનેટની બેઠકમાં ભાજપ નેતા અને કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે રાજ્યમાં પાણીની તંગી ન સર્જાય તેની તાકીદ કરાઈ છે. પાઈપલાઈન મારફતે પણ પાણી પહોંચાડવાની તૈયારી છે. સૌની યોજનાથી ખેડૂતોને લાભ મળે તે અંગે ચર્ચા કરવામાં આવી.
પીવાના પાણી મુદ્દે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન
રાજ્યમાં પીવાના પાણીની મુશ્કેલી ન થાય તે માટે કામગીરી
સૌની યોજના હેઠળ પણ ખેડૂતોને પાણી આપવામાં આવશે
આજની કેબિનેટ બેઠકમાં કોરોનાના વધતાં જતાં કેસો અને ઊનાળામાં પાણીની વહેંચણીના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, રાજ્યમાં પીવાના પાણીની અછત નહીં સર્જાય અને જો કોઈ વિસ્તારમાં અછત સર્જાશે તો ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. ત્યારબાદ તેમને જણાવ્યું હતું કે રાજ્યમાં પીવાના પાણીની મુશ્કેલી ન થાય તે માટે મુખ્યમંત્રીએ પાણી પુરવઠા વિભાગને તાકીદ કર્યું છે. પાઈપલાઈન મારફતે પણ પાણી પહોંચાડવાની તૈયારી છે.
બાવળિયાએ કહ્યું કે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પાણીની મુશ્કેલી પડે છે ત્યાં મુલાકાત લીધી છે. પીવાના પાણીની ઘટ હતી ત્યાં પાણી મળી રહે તે અંગે અધિકારીઓને તાકીદ કર્યા છે. આ ઉપરાંત પીવાના પાણી માટે ટેન્કર પણ મોકલાશે.
જ્યારે સૌની યોજના અંગે જણાવ્યું કે આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે કે ખેડૂતોને સૌની યોજના હેઠળ પાણી આપવામાં આવે. એટલે કે આગામી સમયમાં સૌની યોજના હેઠળ પણ પાણી મળી શકે છે.