વેદ અને પુરાણોઓના અનુસાર હિંદૂ ધર્મમાં ઘણા પ્રકારના સાધુ હોય છે તેમાંથી એક છે નાગા સાધુ અને અઘોરી સાધૂ..જોવામાં તો આ સાધૂઓનું વેશભૂષા એકસમાન હોય છે પરંતુ તેમને સાધૂ બનવાની પ્રક્રિયા રહેણી-કરણી અને તપ-સાધનામાં ઘણો ફરક હોય છે. નાગા સાધુ કુંભમાં આગળ પડતો ભાગ લે છે જ્યારે અઘોરી બાબા કુંભમાં નથી જતા. જાણીએ નાગા અને અઘોરીમાં શું ફરક હોય છે...
નાગા અને અઘોરી સાધુ બનવા માટે ઘણી કઠિન પરીક્ષામાંથી પસાર થવુ પડે છે. બંને પ્રકારના સાધુ બનવા માટેની પ્રક્રિયામા લગભગ 12 વર્ષનો સમય લાગે છે પરંતુ તેમની પ્રક્રિયા ઘણી અલગ હોય છે. નાગા સાધુ બનવા માટે અખાડોમાં દીક્ષા લેવી પડે છે જ્યાર અઘોરી બનવા માટે શ્મશાનમાં જિંદગીના ઘણા વર્ષો પસાર કરવા પડે છે.
નાગા સાધુ બનવાની પક્રિયામાં અખાડાના પ્રમુખને પોતાના ગુરુ માનવા પડે છે અને તેમની શિક્ષા-દીક્ષામાં નાગા સાધુ બનવાની પ્રક્રિયા સમપન્ન થાય છે. ત્યારે અઘોરીઓના ગુરુ સ્વંય શિવ હોય છ. અઘોરીઓને ભગવાન શિવનો પાંચમો અવતાર માનવામાં આવે છે. અઘોરી શ્મશાનમાં મુડદાની સામે બેસીને તપસ્યા કરે છે માન્યતા છે કે આમ કરવાથી તેમણે દેવીય શક્તિઓ પ્રાપ્ત થાય છે.
નાગા અને અઘોરી બાબાના પહેરવા-ઉઠવામાં ઘણું અંતર હોય છે. નાગા સાધુ કપડા વગર રહે છે જ્યારે અધોરી ભગવાન શિવના ભક્ત હોવાથી જાનવરોની ચામડીને પોતાના શરીરનો નીચેનો ભાગ ઠાંકે છે.
નાગા અને અઘોરી બંને જ માંસાહારી હોય છે. જોકે નાગા સાધુ ઘણા વખત શાહકારી ભોજન પણ આરોગે છે પરંતુ અઘોરી શાહકારી નથી હોતા. માનવામાં આવે છે કે તેઓ માત્ર જાનવરોના માંસ જ નહી પરંતુ માણસાનો પણ માંસનું ભક્ષણ કરે છે તેઓ શ્મશાનના મુડદાઓના માંસનુ ભક્ષણ કરે છે.
નાગા અને અઘોરી બંને પરિવારથી દૂર રહીને બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ બંને જ સાધુ બનવાની પક્રિયામાં પોતાનું શ્રાદ્ઘ કરે છે અને આ જ સમયે પોતાના પરિવારનો ત્યાગ કરી દેવાનો પ્રણ લે છે. પરિવારજનો અને દુનિયા માટે તેઓ મૃત થઇ જાય છે અને પોતાની તપસ્યા માટે ફરી પોતાના પરિવાર નથી મળતા.
નાગા સાધુઓના દર્શન થાય છે પરંતુ અઘોરી ક્યારેય પણ જોવા નથી મળતા. અઘોરી બાબા સતત શ્મશાનમા જ વાસ કરે છે. જ્યારે નાગા સાધુ કુંભ જેવા ધાર્મિક સમારોહમાં ભાગ લે છે અને પછી હિમાલયમાં પરત ફરી જાય છે. માન્યતા છે કે નાગા સાધુના દર્શન કર્યા પછી અઘોરીના દર્શન કરવા ભગવાન શિવના દર્શન કરવાને બરાબર છે.
નાગા અને અઘોરી બંનેની પાસે અદ્ગુત શક્તિઓ છે. નાગા સાઘુ ઇશ્વરની વિશેષ કૃપાની સાથે મનુષ્યને જ્ઞાનની વાત જણાવે છે જ્યારે અઘોરી બાબા પોતાના તાંત્રિક સિદ્ઘિ દ્વારા મનુષ્યોની સમસ્યાને દૂર કરે છે.