કુલભૂષણ જાધવની ફાંસી પર આખરે પ્રતિબંધ લગાવી દેવાયો છે. ICJનો ભારતની તરફેણમાં ચૂકાદો આવી ગયો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. મહત્વનું છે કે 16માંથી 15 જજ ભારતના પક્ષમાં રહ્યાં. માત્ર એક જ જજ પાકિસ્તાનના સમર્થનમાં હતા. કુષભૂષણને પાકિસ્તાન સ્થિત ભારતના રાજદ્વારીને પરવાનગી મળવાની. ICJએ કહ્યું કે, પાકિસ્તાને વિયેના સંધીનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન ચુકાદા પર પુન:વિચાર કરે. પાકિસ્તાને પોતાના જ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે કુલભૂષણ જાધવ મામલામાં આખરે આજે ચુકાદો સંભળાવી દેવાયો છે. કુલભૂષણ જાધવની ફાંસી પર આખરે પ્રતિબંધ લગાવી દેવાયો છે. ICJનો ભારતની તરફેણમાં ચૂકાદો આવી ગયો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. મહત્વનું છે કે 16માંથી 15 જજ ભારતના પક્ષમાં રહ્યાં. માત્ર એક જ જજ પાકિસ્તાનના સમર્થનમાં હતા.
કુષભૂષણને પાકિસ્તાન સ્થિત ભારતના રાજદ્વારીને પરવાનગી મળવાની. ICJએ કહ્યું કે, પાકિસ્તાને વિયેના સંધીનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન ચુકાદા પર પુન:વિચાર કરે. પાકિસ્તાને પોતાના જ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. નેધરલેન્ડમાં ભારતનાં રાજદુત વેણુ રાજામૌની અને વિદેશ મંત્રાલયનાં સંયુક્ત સચિવ પાકિસ્તાન-અફઘાનિસ્તાન-ઇરાન) દીપક મિત્તલ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં હાજર હતાં. પાકિસ્તાનની ટીમમાં વિદેશ કાર્યાલયનાં પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈસલ પણ શામેલ હતાં.
ICJ asks Pakistan to review conviction, sentencing of Jadhav
તમને જણાવી દઇએ કે એપ્રિલ 2017માં જાસૂસી અને આતંકવાદનો આરોપ લગાવતા પાક.ની સૈન્ય કોર્ટે કુલભૂષણ જાધવને મોતની સજા સંભળાવી ચૂક્યાં હતાં. ભારતે આ નિર્ણયની સાથે સાથે આઇસીજેની પાસે ગયો હતો. ICJએ જાધવની સજા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
International Court of Justice verdict: A continued stay of execution constitutes an indispensable condition for the effective review and reconsideration of the conviction and sentence of Mr. Kulbhushan Sudhir Jadhav pic.twitter.com/OwlznZP6of
તમને જણાવી દઇએ કે કુલભૂષણ મામલે પાકિસ્તાનની હાર નિશ્વિત માનવામાં આવી રહી છે. ત્યારે પાકિસ્તાને કુલભૂષણને લઈને સાત મોટી ભૂલ કરી હતી. જેની અંગે ભારતે તેની સામે ઉગ્ર દલિલ કરી હતી. પાકિસ્તાનના 7 પાપ જોઈએ તો પાકિસ્તાને વિયેના સંધીનું ઉલ્લંઘન કર્યું હતું. કોન્સ્યુલર ઓફિસરોને જાધવનો કેસ લડવા કે મળવા ન દીધા. જે પણ સંધીનું ઉલ્લંઘન છે.
આ ઉપરાંત ધરપકડ બાદ દૂતાવાસને તાત્કાલિક જાણ કરવાને બદલે ત્રણ અઠવાડિયા બાદ જાણ કરી હતી. પાકિસ્તાને જાધવને કોન્સ્યુલર પોસ્ટ સાથે વાત કરવાના અધિકારની જાણકારી પણ આપી ન હતી. પાકિસ્તાને જાધવ કેસમાં માનવાધિકારનો પણ ભંગ કર્યો હતો. આ ઉપરાંત નિષ્પક્ષ સુનાવણી અને દલિલોના અધિકારથી જાધવને વંચિત રાખવામાં આવ્યા હતા અને કુલભૂષણ જાધવને બળજબરીથી જાસૂસ ચીતરવાનો પ્રયાસ કર્યો હતો. આઇસીજેમાં ભારતને મોટી જીત મળી. આઇસીજેએ કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર પ્રતિબંધ મૂક્યો છે. આઇસીજેના કાયદાકીય સલાહકાર રિમા ઓમેરે ટ્વીટ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, જાધવ વિરુદ્ધ પાકિસ્તાન સેનાના ટ્રાયલને ભારતે પડકાર્યો છે અને ભારત આ મામલે ICJમાં પહોંચ્યું હતું અને તેની સામે વિરોધ નોંધાવ્યો હતો. આઇસીજેએ જાધવને લઇને કોઇ નિર્ણય ન આવે ત્યાં સુધી પાકિસ્તાનને કોઇ પણ પ્રકારની કાર્યવાહી ન કરવાનો આદેશ કર્યો હતો. આપને જણાવી દઇએ કે, ફેબ્રુઆરીમાં આંતરરાષ્ટ્રીય કોર્ટે આ મામલામાં ચાર દિવસ સુનાવણી કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાને પોતપોતાની દલીલો રજૂ કરી હતી. ત્યારે આ દલિલો પૂર્ણ થતા હવે આ મામલે ભારતની તરફેણમાં ચુકાદો આવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
કુલભૂષણ જાધવની 3 માર્ચે 2016માં પાકિસ્તાનને ધરપકડ કરી હતી. પાકિસ્તાનનો એવો દાવો છે કે, જાધવ ભારતની ગુપ્તચર સંસ્થા RAWનો અધિકારી છે. જ્યારે વાસ્તવિકતા એવી છે કે, જાધવ કાયદાકીય રીતે ઈરાનમાં પોતાનો વેપાર કરતા હતાં. જો કે બાદમાં તેઓને જાસૂસ માનીને ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યાર બાદ પાકિસ્તાને જાધવના કથિત કબુલનામાનો એક વીડિયો પણ જાહેર કર્યો હતો. તેમાં કેટલાંક લોકોનું કહેવું એમ છે કે, જાધવ પાસે બળજબરીપૂર્વક તેના આરોપો કબુલાવવામાં આવ્યાં હતાં.