પંચમહાલના ધૈર્યરાજસિંહ માટે સમગ્ર ગુજરાતમાંથી લોકો મદદ પહોંચાડી રહ્યા છે, સુરતમાં કિન્નર સમાજ તો, રાજકોટમાં પણ એક વ્યક્તિએ સોનાની વીંટી આપી દીધી
વસતા પટેલ પરિવારની અનોખી પહેલ
નિશીતને અમર રાખવાનો પ્રયાસ
બેસણાંની રકમ ધૈર્યરાજના પરિવારને અપાશે
એક તરફ ધૈર્યરાજનો પરિવાર 16 કરોડના ઇન્જેક્શન માટે મદદ માગી રહ્યો છે. ત્યારે ધૈર્યરાજના પરિવારજનો મદદ માટે VTV દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. આ અપીલથી પ્રેરાઇને થલતેજમાં વસતા પટેલ પરિવારે ધૈર્યરાજના જીવન માટે દાન કર્યુ છે. કેમ કે થલતેજમાં વસતા સુનિલ પટેલના 24 વર્ષના એકના એક પુત્ર નિશીતનું તાજેતરમાં અવસાન થયું છે.
પટેલ પરિવારે પુત્રના બેસણામાં આવેલા નાણાં ધૈર્યરાજસિંહ માટે અર્પણ કર્યા
ત્યારે પટેલ પરિવારને એક તરફ દુઃખદ અવસાનથી પરિવારજનોમાં આઘાત-શોક અને પીડા છવાઈ ગયું છે. ત્યારે આ પરિવાર ધૈર્યરાજને બચાવવા માટે અનોખી પહેલ કરી છે. જેમાં પુત્રના બેસણામાં અને પુત્રના અવસાન બાદ પરિવારજનો મદદમાં મળેલા નાણાંને અને અંગત મુડીનો ઉમેરો કરીને વધારે દાનની રકમ દાનનું કરવાનો નિર્ણય કર્યો છે.
થલતેજમાં વસતા પટેલ પરિવારનો પુત્ર અમદાવાદના હિમાલયા મોલ સામે દિવાળીની રાત્રે ઘરે પરત ફરતા નિશીતના એક્ટીવાને કાર ચાલકે ટક્કર મારતા ઇજા પહોંચી હતી. તાજેતરમાં 11 માર્ચેના રોજ તેનું અવસાન થયું હતું.
ડોનેશન માટેની બેન્કની માહિતી: A/C NO : 700701717187237
IFSC CODE : YESB0CMSNOC
NAME : DHAIRYARAJSINH RATHOD
રાજકોટમાં ધૈર્યરાજસિંહ માટે એક વ્યક્તિએ વીંટી આપી દીધી
ધૈર્યરાજ માટે દાનની સરવાણી ફૂટી છે. રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા રસ્તા પર ઉતરી ફંડ એકઠું કરવામાં આવ્યું હતું. આ સમયે એક વ્યક્તિએ દાનમાં પોતાની સોનાની વીંટી આપી પોતાની ઉદારતા દાખવી હતી. આ સાથે આ દાન ગુપ્ત રાખવા માટે પોતાનું નામ અને ગાડી નંબર પણ આપવાની મનાઇ કરી હતી. આ અંગે જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી.
સુરતમાં કિન્નર સમાજે પણ ધૈર્યરાજસિંહ માટે દાન એકઠું કર્યું
ધૈર્યરાજસિંહ એક ગંભીર બિમારીથી પીડાઇ રહ્યો છે. તેને મદદરૂપ થવા માટે સુરતનો કિન્નર સમાજ પણ આગળ આવ્યો છે. કિન્નર સમાજે પોતના સભ્યો પાસેથી રૂપિયાની ઉઘરાણી શરૂ કરી દીધી છે. આ તમામ સભ્યો દ્વારા 65 હજાર જેટલી માતબર રકમ પણ ભેગી કરી દેવામાં આવી છે.