રવિવારનો શુભ અંક 9 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે શાલિગ્રામની તુલસીદળથી પૂજા કરવાથી લાભ મળે છે. નાના માણસનું દિલ ન દુભાવવાની સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ પુણ્ય અપાવશે. ભગવાનને સ્વાદિષ્ટ મેવા અને મીઠાઈનો ભોગ ધરાવીને પ્રસાદ કરવાથી લાભ મળશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.
મેષ (અ.લ.ઇ.)
નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે. શેર સટ્ટાથી દૂર રહેવું-નુક્સાન કરાવશે. ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું. કૌટુંબિક પ્રશ્નોમાં સારુ સમાધાન મળશે.
વૃષભ (બ.વ.ઉ.)
દાંપત્યજીવનમાં અણબનાવો દૂર થશે. મકાન વાહન ખરીદવાનો અવસર મળશે. તબીયતની બાબતમાં કાળજી રાખવી. વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો.