ભારતમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કુલ 56 હજાર 351 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 1889 દર્દીઓના મોત થયા છે. તો દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1889 દર્દીઓ સાજા થયા છે. હાલ દેશમાં 37 હજાર 682 કોરોના એક્ટિવ કેસ નોંધાયા છે. રાહતને બદલે માઠા સમાચાર એ છે કે UPના 60થી વધુ જીલ્લામાં ફેલાયો કોરોના વાયરસ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. અહીં છેલ્લા 45 દિવસમાં રોજના 66 નવા કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતના અમદાવાદમાં પણ સ્થિતિ વણસી હોવાના કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3561 કેસ નોંધાયા છે જ્યારે 89 લોકોના મોત થયા છે. જ્યારે રિકવરી રેટ 28.83 ટકાએ પહોંચ્યો છે.
(અપડેટ્સ 8 મે 2020 - સવારે 10.00 વાગ્યા સુધી)
ભારતમાં કોરોનાની વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ 17 હજાર 974 કેસ નોંધાયા છે. ગુજરાતમાં 7013, દિલ્લીમાં 5980 કોરોના પોઝિટિવ કેસ, તમિલનાડુમાં 5409, રાજસ્થાનમાં 3427 કેસ, મધ્યપ્રદેશમાં 3252, ઉત્તરપ્રદેશમાં 3071 કેસ , આંધ્રપ્રદેશમાં 1833, પંજાબમાં 1644 કોરોના પોઝિટિવ કેસ, પશ્ચિમ બંગાળમાં 1548, તેલંગાણામાં 1122 કોરોના કેસ નોંધાયા છે. ઉત્તરપ્રદેશમાં લોકડાઉન દરમિયાન કોરોના વધુ ફેલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. UPના 60થી વધુ જીલ્લામાં કોરોના વાયરસ ફેલાયો છે. છેલ્લા 45 દિવસ દરમિયાન દરરોજ 66 નવા કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંક 7013 પર પહોચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1709 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમા કોરાનાથી 425 લોકોના મૃત્યુ થયા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાંથી 1500 લોકો સાજા થયા છે.
ICMRએ ટેસ્ટિંગ કીટ્સ પહોંચાડવા કરી આ વ્યવસ્થા
દેશભરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે ટેસ્ટિંગ કીટની માગ પણ વધી રહી છે. ઈન્ડિયા પોસ્ટ ICMRની મદદે આવ્યું છે. તેઓએ કોલકત્તા, ભુવનેશ્વર, રાંચી, પટના, જોધપુર, અજમેર, ઝાલાવાડ, ઉદયપુર, કોટા, ડુંગરપુર, ચુરુ, ગુવાહાટી અને ઈમ્ફાલ સુધી આ કિટ્સ પહોંચાડી છે. આ સાથે જ ટેસ્ટિંગ કિટ્સ ખરાબ ન થાય તે માટે તેને ડ્રાઈ આઈસમાં પેકિંગ કરવામાં આવે છે.
સિંગાપુરથી પણ ભારતીયોને પરત લવાશે
કોરોના વાયરસના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોની પડખે ભારત સરકાર આવી છે. UAEથી 363 ભારતીયોને લઈને 2 વિમાન પરત ફર્યા છે. 181 યાત્રીઓને અબુધાબીથી કેરળના કોચી લવાયા છે. તો અન્ય બીજી ફ્લાઇટમાં 182 ભારતીયો કોઝિકોડ લવાયા છે. 2 દેશોમાં ફસાયેલા 1 લાખથી વધુ ભારતીયોને વતન લવાશે. સિંગાપુરથી પણ ભારતીયોને પરત લવાશે. વંદે ભારત મિશન હેઠળ ભારતીયો વતન પરત ફરશે. લોકડાઉનના કારણે વિવિધ દેશોમાં ભારતીયો ફસાયા છે.
ટ્રેન દુર્ઘટના, PM મોદીનું ટ્વીટ
महाराष्ट्र के औरंगाबाद में हुए रेल हादसे की खबर से मैं दुखी हूं। मैंने रेल मंत्री पीयूष गोयल से बातचीत की है और वे इस मामले पर बारीकी से नज़र रखे हुए हैं। सभी जरूरी मदद की जा रही है: प्रधानमंत्री नरेंद्र मोदी (फाइल तस्वीर) pic.twitter.com/bLrKjZrly3
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર સુતા પ્રવાસી કચડાયા. રેલવે ટ્રેક પર સુઈ રહેલા લોકો પર ટ્રેન ફરી વળી હતી. વહેલી સવારે 6.30 કલાકે દુર્ઘટના સર્જાઈ હતી. ઔરંગાબાદ-જાલના રેલવે લાઈન પરની દુર્ઘટનાએ 16 શ્રમિકોના જીવ લીધા હતા. 16 પ્રવાસી સુઈ રહ્યા હતા તે સમયે માલગાડી પસાર થઈ ગઈ હતી. ઔરંગાબાદ રેલ દુર્ઘટના પર PM મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. રેલવે મંત્રી પિયુષ ગોયલ સાથે પણ PMએ ઘટના સંદર્ભે વાતચીત કરી છે.
सुबह 5:15 बजे बहुत ही दुर्भाग्यपूर्ण घटना हुई, एक मालगाड़ी गुजर रही थी उसके नीचे मजदूर आ गए। इसमें 16 मजदूरों की मौत हो गई। एक घायल है, 4 लोग जो दूर बैठे थे उनसे हम पूछताछ कर रहे हैं: मोक्षदा पाटिल, SP औरंगाबाद #Maharashtrahttps://t.co/D8vjPVgfETpic.twitter.com/8n3Z58jGLG
અર્ધસૈનિક બળમાં 481 જવાનો કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. BSFમાં કુલ 159 જવાનો કોરોના સંક્રમિત છે. કોરોનાના કહેર વચ્ચે સૈનિકો, પોલીસ જવાનો દેશમાં સેવા આપી રહ્યા છે. તેઓને તમામ પ્રકારની સહાયતા પહોંચાડવામાં આવી રહી છે.
વિશાખાપટ્ટનમ ગૅસ લીક કાંડ
વિશાખાપટ્ટનમમાં ગૅસ લીકની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. ગઈકાલે ઘટના બની હતી તે જ વિસ્તારમાં અન્ય કંપનીમાં સ્ટાઈરીન ગૅસ લીકની ઘટના બની હતી. જેના કારણે આસપાસના ગામના લોકોની તબિયત બગડી છે. કંપનીની આસપાસના 5 કિલોમીટરના વિસ્તારના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. લોકોની સુરક્ષા માટે આંધ્ર પ્રદેશ પોલીસે હેલ્પલાઈન નંબર અને ગાઈડલાઈન જાહેર કરી છે.