ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં 2902 લોકો કોરોના વાયરસથી પોઝિટિવ થઇ ચૂક્યા છે. જ્યારે કોરોના વાયરસથી કુલ 68 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 601 નવા કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 184 લોકો ઠીક થયા છે. જ્યારે 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં હાલ 108 કેસ છે. જ્યારે કોરોનાને કારણે કુલ 10 લોકોના મોત થયાં છે.
ભારતમાં કોરોનાના વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
તેલંગણામાં આજે નવા 43 કેસ
43 more #COVID19 cases reported in Telangana today taking the total number of positive cases in the state to 272, including 33 patients cured/discharged & 11 deaths. Total active cases at 228: Telangana Health Department
તેલંગાણામાં કોરોના વાયરસના આજે 43 કેસ સામે આવ્યા હતા. ત્યારે હવે અહીં કોરોના વાયરસના પીડિતોની સંખ્યા 272 થઇ ગઇ હતી. આ સાથે અહીં 11 લોકોના મોત નીપજ્યા છે.
ક્વોરેન્ટાઇન સેન્ટરમાં બંધ સંદિગ્ધોએ વહીવટી તંત્ર પર કર્યો પથ્થરમારો
Bihar: A clash occurred between people lodged at a quarantine center and block officials, at a quarantine center in Raghunathpur Block in Siwan, today. #COVID19pic.twitter.com/nANkcp9LIA
બિહારના સિવાનમાં આવેલા ક્વોરેન્ટાઇન સેન્ટરમાં બંધ કોરોના શંકાસ્પદોએ વહીવટીતંત્ર પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના રઘુનાથપુરની રાજપુર મિડલ સ્કૂલના ક્વોરેન્ટાઇન સેન્ટરની છે. તમામ સરકારી કર્મચારીઓએ પોતાનો જીવ બચાવ્યા બાદ ઘટના સ્થળેથી ભાગ્યા હતા.
PM મોદીએ માસ્ક અને વેન્ટીલેટરની અછત ન સર્જાય તેવા અધિકારીઓને આપ્યા નિર્દેશ
કોરોના મહામારી પહોંચી વળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત બેઠકો કરી રહ્યા છે. શુક્રવારે તેમણે કોરોના વાયરસની જંગ સાથે જોડાયેલી અલગ-અલગ ટીમ સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ હોસ્પિટલ અને આઇસોલેશનની વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી. તેમણએ મેડિકલ સ્ટાફનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખવાના પણ આપ્યા હતા કે તેમને કોઇ વાતની અછત ન સર્જાય.
દિલ્હીમાં કોરોનાના નવા કેસ નોંધાયા
રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. આજે 59 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે હવે અહીં દર્દીઓની કુલ સંખ્યા 445 થઇ ગઇ છે.
કોરોના મામલે પ્રધાનમંત્રી મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ વચ્ચે થઇ ચર્ચા
Had an extensive telephone conversation with President @realDonaldTrump. We had a good discussion, and agreed to deploy the full strength of the India-US partnership to fight COVID-19.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોરોના વાયરસ અંગે ટેલિફોનિક વાતચીત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિસ્તૃત ટેલિફોન વાતચીત થઈ છે. અમે સારી ચર્ચા કરી હતી અને કોવિડ -19 સામે લડવા માટે ભારત-અમેરિકાની ભાગીદારીની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરવા સંમત થયા હતા.
સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા પર કાર્યવાહી થશે
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સોશિયલ મીડિયા પર સરકારની નજર છે. રવિશંકર પ્રસાદએ લોકોને અફવાહ ન ફેલાવાની અપીલ કરી છે અને સાથે એમ પણ કહ્યું કે અફવાઓ ફેલાવનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.
આગ્રામાં અત્યાર સુધીમાં 37 લોકોને કોરોના પોઝિટિવ
આગ્રા જિલ્લાધિકારી પ્રભુ એ સિંહ મુજબ,137માંથી 31 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તમામ લોકો તબલીગી જમાતમાં સામેલ થયા હતા.
આપણે સાથે મળીને કોરોના સામેની જંગ લડવાની છે : કેન્દ્રીય આરોગ્ય સચિવ લવ અગ્રવાલ
કેન્દ્રના આરોગ્ય વિભાગે આજે ફરી એકવાર કોરના મામલે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં આરોગ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોના વિરૂદ્ધની જંગ આપણે સાથે મળીને લડવાની છે. આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે, મોં ઢાંકવાને લઇને પણ કેટલીક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તો ટેસ્ટિંગ વધારવાને લઇને પણ મથામણ ચાલુ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોના પીડિતોની સંખ્યા હાલ 2992 છે તથા અત્યાર સુધીમાં 68 લોકોના મોત થયા છે. તો 183 લોકો કોરોના મુક્ત થયા છે. નોંધનીય છે કે, આ આંકડા આજે સવારે 9 વાગ્યા સુધીના છે.
અમદાવાદમાં એક સફાઈ કર્મચારી મહિલા બની કોરોનાનો શિકાર
ખોડિયારનગરની એક મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મહિલા VS હોસ્પિટલમાં સફાઇકર્મી તરીકે સેવા બજાવે છે. પરિવારના અન્ય 13 લોકોને ક્વોરોન્ટાઇન કરાયા છે. અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓની કુલ સંખ્યા 44 પહોંચી છે. અમદાવાદમાં વધુ એક કેસ પોઝિટિવ આવતા ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 106 થઈ ગઈ છે. અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા 44 પર પહોંચી છે.
મહારાષ્ટ્રમાં રસ્તા પર નમાઝ-પૂજા પર લાગી રોક
મહારાષ્ટ્ર સરકારે રસ્તાઓ પર નમાઝ-પૂજા કરવા પર રોક લગાવી દીધી છે. કોરોના વાયરસના સંક્રમણને પગલે હાલ મંદિર-મસ્જિદ બંધ છે. કોરોનાના સંક્રમણને ઘટાડવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.
બરેલી દરગાહથી 200 લોકોને નીકાળવામાં આવ્યા
બરેલીની શહદાના વાળી દરગાહમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોથી આવેલા ઓછામાં ઓછા 200 લોકોને પોલીસે હટાવ્યા છે.
તમિલનાડુમાં કુલ 411 કોરોના પોઝિટિવ
તબલીગી જમાતને પગલે દ.ભારતનું તમિલનાડુ કોરોનાની ઝપેટમાં આવ્યું છે. કોરોના વાયરસના કુલ કેસ વધીને 411 થઇ ગયા છે. જેમાંથી 364 કેસ તબલીગી જમાત સાથે જોડાયેલા લોકોના છે.
નોઈડામાં 5 નવા કેસ
નોઈડામાં 5 નવા કેસ સામે આવ્યા છે 4 દર્દી સેક્ટર 5ના છે અને એક અન્ય જગ્યાએ રહે છે. તમામને હાલમાં અસ્થાયી સમય માટે સીલ કર્યા છે. ગાઝિયાબાદમાં પણ 1 મહિલા કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
भारत में कोरोना वायरस पॉजिटिव मामलों की कुल संख्या बढ़कर 2902 हुई (इसमें 2650 लोग अभी वायरस से संक्रमित हैं, 183 ठीक या फिर डिस्चार्ज हो चुके हैं और 68 की मौत हो चुकी है): स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय #coronaviruspic.twitter.com/On1GpNGl9P
લદ્દાખમાં કોરોના વાયરસના 14 પોઝિટિવ કેસમાંથી 9 લોકો ગત 12 દિવસમાં સ્વસ્થ થઇ ગયા છે.
સરકારે તપાસ કિટની ખુલ્લી નિકાસ પર અંકુશ લગાવ્યો
સરકારે તપાસ કિટ (ડાયગ્નોસ્ટિક કિટ) ની નિકાસ પર તાત્કાલિક રૂપે અંકુશ લગાવી દીધો છે. સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે કે આ નિર્ણયથી કોરોના વાયરસનો સામનો કરવામાં મદદ મળશે, કેમકે દર્દીઓની તપાસ માટે આ કિટ જરૂરી હોય છે.
દિલ્હીમાં પીપીઇની અછત, માત્ર 2-3 દિવસનો સ્ટૉક બચ્યો
દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ વધીને 386 થઇ ગયા છે. જેમાંથી 259 લોકો તબલીગી જમાતના છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે અમારી પાસે હવે માત્ર 7-8 હજાર પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) કિટ બચી છે. જે આવતા 2-3 દિવસમાં ખતમ થઇ જશે. અમે વધુ 50 હજાર નવી કિટ મંગાવી છે.
મહારાષ્ટ્રમાં આજે વધ્યા કોરોનાના કુલ 47 કેસ, કુલ આંક 537
महाराष्ट्र में आज कोरोना वायरस के 47 नए मामले सामने आए हैं, इनमें से 28 मामले मुंबई में हैं, 15 ठाणे जिले में, 1 अमरावती में, 2 पुणे में और 1 पिंपरी-चिंचवड़ में। राज्य में कोरोना वायरस पॉजिटिव कुल मामलों की संख्या बढ़कर 537 हो गई है: महाराष्ट्र स्वास्थ्य विभाग #coronaviruspic.twitter.com/eGOQZPjNqa
कल रात तक दिल्ली में कोरोना वायरस के 386 मरीज़ थे। इनमें से 259 मरकज़ के हैं मतलब 67%लोग एक ही जगह से हैं। बाकी पूरी दिल्ली के 33% मरीज़ हैं। 2 दिन से कोई नया मरीज़ तो नहीं आया है लेकिन रिपोर्ट आ रही हैं आज भी काफी लोगों की रिपोर्ट आनी है: दिल्ली के स्वास्थ्य मंत्री सत्येंद्र जैन pic.twitter.com/x5U4N2wu6A
CM योगी आदित्यनाथ ने खादी से बने 66करोड़ ट्रिपल लेयर मास्क का उत्पादन करने को लेकर आदेश जारी किए हैं।ये मास्क धुल सकेंगे और इनका दोबार इस्तेमाल किया जा सकेगा।गरीब लोगों को ये मास्क मुफ्त मिलेंगे और दूसरे लोगों को ये मामूली कीमत पर बेचे जाएंगे:उत्तर प्रदेश सरकार(फाइल फोटो) pic.twitter.com/O6g4JPOkY6
રાજસ્થાનમાં કોરોનાના કારણે 60 વર્ષની મહિલાનું નિધન થયું છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 191 થયા છે. જેમાં 40 લોકો તબલીગી જમાતના છે.
A 60-year-old #COVID19 positive woman patient passed away in Rajasthan's Bikaner, earlier today. 12 new positive cases confirmed in Rajasthan, taking the total number of cases to 191 including 41 Tablighi Jamaat (Delhi) attendees: State Health Department
जोधपुर में कोरोना वायरस के 2 और मामले सामने आए हैं। राजस्थान में कोरोना वायरस के कुल मामलों की संख्या बढ़कर 198 हो गई है, इसमें 41 तबलीगी ज़मात(दिल्ली) के कार्यक्रम में शामिल होने वाले लोग हैं: राजस्थान स्वास्थ्य विभाग #COVID19https://t.co/H9iz6C6Gl1
કર્ણાટકમાં કોરોના વાયરસના કારણે સંક્રમિત આંક 128 થયો છે. અહીં બાગલકોટમાં 75 વર્ષના વૃદ્ધનું મોત નીપજ્યું છે.
બીકાનેરમાં પણ થયું પહેલું મોત
બીકાનેરમાં કોરોનાથી સંક્રમિત મહિલાનું મોત થયું છે. મહિલાના મોત બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારના 25 લોકોને પીબીએમમાં રાખવામાં આવ્યા છે.
દેશમાં 24 કલાકમાં વધુ 478 કેસ સામે આવતાં તંત્ર સક્રિય બન્યું છે. તેલંગાણામાં 75 નવા કેસ અને 2 લોકોના મોત થયા છે. દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 2500ને પાર છે અને મૃત્યુઆંક 72 થયો છે. દિલ્હીમાં પણ કોરોનાના નવા 91 કેસ આવતાં એક હેલ્પલાઈન નંબર શરૂ કરાયો છે. રાજસ્થાનમાં 179 કેસ અને 33 કેસ તબલીગી જમાત સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. મધ્યપ્રદેશમાં પણ 154 કેસ આવ્યા છે જેમાં 112 માત્ર ઈન્દોરના છે.
કોરોના વાયરસની સારવારમાં WHOને ભારત સહયોગ કરશે
કોરોનાની સારવારના પરીક્ષણમાં ભારત WHOને મદદ કરશે. ભારતીય તબીબી સંશોધન પરિષદે જણાવ્યું કે WHOને કોરોના વાયરસના સંક્રમણનો ઇલાજ અને દવા વિકસિત કરવા માટે વૈશ્વિક સ્તર પર સોલિડેરિટી ટ્રાયલની પહેલ કરી છે. જેમાં કોરોનાની સારવાર કરાવી રહેલા અનેક દર્દીનું પરીક્ષણ કરાશે. ભારત પણ આ પ્રક્રિયામાં ભાગીદાર બનશે.
ઓરિસ્સાની શાક માર્કેટમાં થયો સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ