છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ હોવા છતાં કોરોનાના સંક્રમિત કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના ભરડામાં અનેક જીવન હોમાઈ રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં કેસ ડબલ થયા છે. આ સાથે જ દેશમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2500ને પાર પહોંચી છે. તો વળી 60 થી વધુ લોકોના કોરોનાને કારણે મોત થયાં છે. તો આ તરફ ગુજરાતમાં કોરોનાના કુલ 95 કેસ છે જ્યારે 9 લોકોના મોત થયાં છે. ખાસ કરીને અમદાવાદમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધારે છે.
ભારતમાં કોરોનાના વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
પ્રધાનમંત્રી મોદીએ ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂ સાથે કરી ટેલિફોનિક વાતચીત
Prime Minister of Israel Benjamin Netanyahu spoke by telephone with Prime Minister Narendra Modi today. The two discussed technological cooperation as well as the various steps to deal with the spread of #coronavirus: Office of the Prime Minister of Israel (file pics) pic.twitter.com/ttE5Vsw5vK
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોનિક વાત કરી હતી અને બંને નેતાઓએ કોરોના વાયરસને પહોંચી વળવા અંગેની વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. બંને દેશોના પ્રધાન નેતાઓએ વિવિધ પગલાઓની સાથે તકનીકી રીતે કોરોનો સામે પહોંચી વળવા અંગેની રણનીતિ પર ખાસ ચર્ચા કરી હતી.
કોરોના સામે જંગ લડવા રાજ્યોને 11,092 કરોડ આપશે કેન્દ્ર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોરોના વાયરસને પહોંચી વળવા માટે શુક્રવારે તમામ રાજ્યોને આર્થિક મદદની જાહેરાત કરી હતી. શાહે ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ ફંડ હેઠળ કોરોના સામેની જંગ માટે 11,092 કરોડની રકમની મંજૂરી આપી હતી. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી મોદી દ્વારા ગુરૂવારે વીડિયો કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રીઓને આપેલ આશ્વાસન બાદ આ રકમને મંજૂર કરવામાં આવી હતી.
કોરોના સાથે જોડાયેલી જાણકારી મેળવવા માટે દિલ્હી સરકારે જાહેર કર્યો વ્હોટ્સેપ નંબર
I'm giving you the WhatsApp number of Delhi govt - 8800007722. If you want any information regarding #Coronavirus, send a 'Hello' or 'Hi' or any text on the number, you will get a menu in the reply. You can further operate it on the basis of the menu: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/o6WT7Mb6N5
દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે, જો તમારે કોરોના વાયરસ સાથે જોડાયેલી જાણકારી જોઇતી હોય અથવા સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે માહિતી જોઇતી હોય તે વ્હોટ્સેપ નંબર 8800007722 પર માત્ર 'હેલ્લો' લખીને મોકલવાથી તમામ વિગત આપને સરકાર દ્વારા મોકલી આપવામાં આવશે
કોરોનાના ભયને કારણે પંજાબના દંપતિએ કર્યો આપઘાત
પંજાબના અમૃતસરમાં કોરોના વાયરસના ડરને કારણે એક દંપતિએ આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. નોંધનીય છે કે, પતિ-પત્નીએ કોરોના વાયરસના લક્ષણોના ભયને કારણે આત્મહત્ય કરી હતી. તેમણે સ્યૂસાઇડ નોટમાં લખ્યું કે, અમે કોરોના વાયરસના કારણે મરવા માગતા નથી.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કોરોનાના કેસ
દેશમાં છેલ્લા 24 કલાકમાં એક દિવસના સૌથી વધારે કેસ નોંધાયા દેશમાં છેલ્લા 24 કલાકમાં 478 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા દેશમાં 2547 કોરોના પોઝિટિવ કેસ, 62 લોકોના મોત દેશમાં 162 કોરોનાના દર્દીઓ સાજા થયા, 2322ની સારવાર ચાલી રહી છે ભારતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને દર્દીઓની સંખ્યા વધી રહી છે
મુંબઇમાં CISFના 11 જવાનોનો ટેસ્ટ પોઝિટિવ
મુંબઇમાં CISFના 11 જવાનોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. નોંધનીય છે કે, આ પહેલા 5 જવાનોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
11 CISF jawans posted at Mumbai airport tested #COVID19 positive. Total 142 were under quarantine since last few days. Out of which 4 were tested positive yesterday and others were tested positive today: CISF pic.twitter.com/EByO2I5Xae
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીમાં કોરોના વાયરસના 384 દર્દીઓ છે. જે ગઇકાલે 293 હતા. છેલ્લા 24 કલાકમાં 91 દર્દીઓનો વધારો થયો છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે.
અત્યાર સુધીમાં 66 હજાર સેમ્પલ કરાયા ટેસ્ટ, વધુ 2 હેલ્પલાઇન નંબરની શરૂઆત
કેન્દ્રિય આરોગ્ય વિભાગે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 66 હજાર કોરોનાના મામલાઓની તપાસ કરવામાં આવી છે. જેમાં ગઇકાલે 8000 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે વધુમાં જણાવ્યું કે, કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા અત્યાર સુધીમાં 7 હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે તેમાં 2 વધુ ઉમેરવામાં આવ્યા છે. જેમાં 1930 (ઓલ ઇન્ડિયા ટોલ ફ્રી નંબર) તથા 1944 (નોર્થ ઇસ્ટ માટે ડેડિકેટેડ) છે.
ઉત્તર પ્રદેશના 359 બાળ કેદીઓને મુક્ત કરવામાં આવશે
ઉત્તર પ્રદેશમાં લગભગ 359 બાળ કેદીઓને મુક્ત કરવામાં આવશે. હાઈકોર્ટના નિર્દેશોના પગલે આ કેદીઓને બાળગૃહમાંથી મુકત કરવામાં આવશે. આ કેદીઓને ત્રણ વર્ષ સુધીની સજા કરવામાં આવી છે. રાજ્યના બાળગૃહોમાં લગભગ 30,000 બાળકો બંધ છે. કોર્ટે આ નિર્ણય કોરોના વાયરસના ભયને ધ્યાનમાં રાખીને લીધો છે.
તબલીગી જમાત સાથે જોડાયેલા 647 દર્દીઓ સામે આવ્યા
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે 14 રાજ્યોમાં તબલીગી જમાત સાથે જોડાયેલા 647 દર્દીઓ સામે આવ્યા છે. એક ભૂલને કારણે, કેસોમાં ઘણો વધારો થયો છે. હવે જો આ પ્રકારની ભૂલ થાય તો આપણે પાછા પડીશું. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં તબિલીગી જમાતને કારણે 14 રાજ્યોમાં કોરોનાના 647 કેસ મળી આવ્યા છે.
ઓરિસ્સામાં નોંધાયો કોરોનાનો પહેલો કેસ
The 1st #COVID19 positive case in Odisha, belonging to Bhubaneswar has recovered and tested negative; he is being discharged. There are 3 active cases of Coronavirus in the state now: State health Department
12 more persons have tested positive for #COVID19 in Andhra Pradesh, taking the total number of positive cases in the state to 161: State nodal officer for COVID-19, Arja Srikanth
એકલા અમદાવાદમાંજ નવા 7 કેસ નોંધાયા . ગુજરાતમાં કોરોનાથી વધુ એક મોત થયુ છે. આ મોતને કારણે કોરોનાથી મોતનો આંકડો 8 પર પહોંચ્યો છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 95 થઈ છે. ગુજરાતમાં ગઈકાલે કોરોનાનો એક જ કેસ પોઝિટિવ મળ્યો હતો. આવનારા ચાર પાંચ દિવસમાં ગુજરાતમાં આકંડા ઉપર નીચે થઈ શકે છે. જો કે એ પછી પરિસ્થિતિ સ્ટેબલ થઈ જશે એવું તબીબોનું માનવું છે.
पिछले 24 घंटों में कोरोना के 235 नए मामले सामने आए हैं। भारत में कोरोना पॉजिटिव मामलों की कुल संख्या 2069 हो गई है (1860 सक्रिय मामले, 155 ठीक / डिस्चार्ज/ प्रवासी और 53 मृतक): स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय
મહારાષ્ટ્રમાં વધુ એક દર્દીનું મોત, કુલ 21 મોત, કુલ કેસ 335
મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે વધુ એકનું દર્દીનું મોત થયું છે. કોરોના વાયરસના કારણે 67 વર્ષીય દર્દીએ જીવ ગુમાવ્યો છે. જે વ્યક્તિનું મોત થયું તે ટ્યુબરક્યુલોસિસની બિમારીથી પણ પીડાતો હતો. પાલઘરમાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ 21 લોકોના મોત થયા છે. બીજી તરફ મુંબઈના ધારાવી વિસ્તારમાં વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. 35 વર્ષના ડોક્ટરનો કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. BMCએ ડોક્ટરની સમગ્ર બિલ્ડિંગને ક્વોરેન્ટાઈન કરી છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીમાં ગુરુવારે કોરોના વાયરસ (Coronavirus) નો બીજો પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યો છે. અહીં એક 54 વર્ષના સફાઇ કર્મચારીમાં કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે.
महाराष्ट्र से 1062 लोग दिल्ली निज़ामुद्दीन मरकज़ में शामिल हुए थे जिनमें से 890 का पता लगाया जा चुका है। उनमें से 4 व्यक्ति कोरोना पॉजिटिव हैं, पिंपरी-चिंचवाड़ और अहमदनगर से 2-2। राज्य में कुल 423 कोरोना पॉजिटिव मामले हैं और अब तक 20 लोगों की मौत हो चुकी है: राज्य स्वास्थ्य विभाग
રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દિલ્હી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજધાનીમાં કોરોના વાયરસના ચેપના કેસની સંખ્યા 293 પર પહોંચી ગઈ છે. આ કેસમાંથી પુરા 182 કેસ મરકઝથી આવેલા લોકો છે. હજુ સુધી ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. દિલ્હીની પરિસ્થિતિ હજી નિયંત્રણ હેઠળ હોવાનું જણાવાઈ રહ્યું હતું. જો કે, છેલ્લા 4 દિવસમાં 103 નવા દર્દીઓને કારણે સરકારની ઊંઘ ઉડી ગઈ છે. છેલ્લા 4 દિવસમાં 29 માર્ચે 23 સંક્રમિત દર્દીઓ , 30 માર્ચે 25, 31 માર્ચે 23 અને 1 એપ્રિલે 32 દર્દીઓ આવ્યા જે એક દિવસમાં સૌથી વધુ કેસીસ છે. આવી સ્થિતિમાં ચિંતા વધી રહી છે.
पिछले 24 घंटों में 141 नए कोरोना पॉजिटिव मामले सामने आए हैं जिनमें से मरकज़ निज़ामुद्दीन से 129 पॉजिटिव मामले हैं। कुल 4 मृतकों में से 2 मरकज़ निज़ामुद्दीन से हैं: दिल्ली सरकार https://t.co/4EBW6tco0f
गाजियाबाद,हमें मिली शिकायत में नर्सों ने आरोप लगाया है कि आइसोलेशन वार्ड में भर्ती लोग उन्हें काम नहीं करने देते हैं। उन्हें देखकर गंदे इशारे करते हैं और उपचार में भी सहयोग नहीं करते।मामले की छानबीन कर शीघ्र ही कार्रवाई की जाएगी। वार्ड में 6लोग भर्ती हैं: SP मनीष शर्मा pic.twitter.com/myNTGInj0G
ગાઝિયાબાદમાં તબલીગી જમાતના કોરોનાના દર્દીઓની કરતૂત જોવા મળી. 6 દર્દીઓએ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સાથે ગેરવર્તન કર્યુ. આઈસોલેશનમાં દાખલ કરાયેલા દર્દીઓએ ગેરવર્તન કર્યુ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. MMG હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની ફરિયાદ આધારે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ પર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યા આંકડા
વિશ્વમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે ભારત પણ તેમાથી બાકાત નથી રહ્યું. ભારતમાં આજે 328 કોરોનાના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 152 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે. દિલ્લીના તબલીગી જમાત મામલે કેન્દ્રીય આરોગ્ય વિભાગે માહિતી આપી હતી. આરોગ્ય વિભાગના અગ્ર સસિવ લવ અગ્રવાલે આ મામલે કહ્યું કે મરકજમાં ગયેલા અલગ-અલગ રાજ્યોના કુલ 9,000 લોકોની ઓળખ થઈ ચુકી છે. જેમાંથી 1,300 લોકો વિદેશીઓ છે. તેમજ મરકજ સાથે જોડાયેલા 400 લોકોને ક્વૉરન્ટાઇન કરાયા છે.
સોનિયા ગાંધી મોદી સરકાર પર ભડક્યા, કહ્યું 'બિન આયોજિત લૉકડાઉન'
કોરોના વાયરસ સંકટ અને લૉકડાઉનને કારણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઇ. આ દરમિયાન કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે 21 દિવસનું લૉકડાઉન જરૂરી હતું પરંતુ તેને બિન આયોજિત રીતે લાગૂ કર્યું. લૉકડાઉનને કારણે લાખો પ્રવાસી મજૂરોનું ઉત્પીડન થયું.