આને અંધવિશ્વાસ કહેવાય કે બીજું કંઇ પરંતુ આજે પણ રાતે કૂતરું રડતું હોય તો લોકો એને દૂર ભગાડી દે છે. આવું એટલા માટે કારણ કે હિંદુ ધર્મ અુસાર રાતે કૂતરું રડે તો અશુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કૂતરાના રડવાને કેમ અશુભ માનવામાં આવે છે.
એને લઇને જ્યોતિષોનું કહેવું છે કે કૂતરા સૌથી વધારે રડે છે જ્યારે એમની આસપાસ કોઇ આત્મા હોય છે અથવા એમને કોઇ આત્મા દેખાય છે. જ્યોતિષોનું એવુંપણ કહેવું છે કે જ્યારે ફણ કૂતરા રડે છે તો એનો અર્થ એવો થાય છે કે એ કોઇને સંદેશ આપી રહ્યા હોય છે અથવા એમના સાથીઓને સંદેશ આપે છે કે એ પણ સચેત થઇ જાય.
જ્યારે આ બાબતે વૈજ્ઞાનિકોનું માનીએ તો જ્યારે કૂતરું એકલું હોય છે ત્યારે એ જોરજોરથી રડે છે કારણ કે બીજા કૂતરાઓ પણ એનો અવાજ સાંભળીને એ પણ રડવા લાગે. જેનાથી એમને લાગે છે કે એ એકલા નથી બીજા કૂતરા પણ એની સાથે છે. બીજી બાજુ કેટલાક જાણકારોનું એવું કહેવું છે કે કૂતરા આવું કરીને પોતાના લોકેશન બીજા કૂતરાને કહે છે.