દેશમાં કોરોના વાયરસની મહામારીને પગલે લૉકડાઉન જાહેર કરાયું છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતના કેસ સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 694 સંક્રમિત કેસ નોંધાયા છે. જ્યારે 45 લોકો કોરોના વાયરસના સંક્રમણથી ઠીક થઇ ગયા છે. ગુજરાતમાં કોરોનાના કારણે 3 લોકોના મોત થયા છે. દેશમાં 14 એપ્રિલ સુધી લૉકડાઉન ચાલુ રહેશે.
સાઉદી અરબની અધ્યક્ષતામાં યોજાયેલ G-20 દેશોની વર્ચ્યુઅલ બેઠકમાં એક મોટો નિર્ણય લેવાયો હતો. જેમાં કોરોના વાયરસને પહોંચી વળવા માટે તથા દુનિયાની અર્થવ્યવસ્થાને થયેલા નુકસાનમાં મદદરૂપ થવા માટે 5 ટ્રિલિયન ડોલર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં દેશના પ્રધાનમંત્રી મોદીએ પણ હિસ્સો લીધો હતો. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાઇ હતી.
આજે દેશમાં કુલ 88 કેસ નોંધાયા
આજે સમગ્ર દેશમાં કોરોના વાયરસના 88 પોઝિટિવ કેસ નોંધાયા. જેમાં બિહારના એક 20 વર્ષના યુવકનો કોરના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
મધ્ય પ્રદેશના ઇંદોરમાં 35 વર્ષના દર્દીનું મોત થયું છે. દેશમાં આટલી નાની ઉંમરમાં કોરોનાથી મોતની આ પ્રથમ ઘટના છે. મધ્ય પ્રદેશ ઉપરાંત ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 65 વર્ષિય દર્દી, મહારાષ્ટ્રના મુંબઈમાં 65 વર્ષિય વૃદ્ધ, ગુજરાતના ભાવનગરમાં 70 વર્ષિય વૃદ્ધ તથા રાજસ્થાનના ભીલવાડામાં એક દર્દીનું મોત થયું છે. આ ઉપરાંત કર્ણાટકમાં પણ 75 વર્ષની મહિલાનું મોત થયું છે.
બિહારમાં કોરોના વાયરસનો વધુ એક કેસ નોંધાયો
બિહારમાં કોરોના વાયરસનો વધુ એક કેસ મળ્યો છે. પટનાના 20 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. રાજ્યમાં કુલ મામલાની સંખ્યા 7 થઇ ચૂકી છે.
મહામારીને રોકવા માત્ર લોકડાઉન જ ઉપયોગી નથી : રઘુરામ રાજન
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, કોરોના જેવી મહામારીને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન કરવું પુરતું નથી. રાજને વધુમાં કહ્યું કે, આ બીમારી એક ગંભીર ચિંતાનો વિષય છે.
કોલકત્તામાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનારને દંડ
દેશમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે 25 માર્ચની સાંજથી 26 માર્ચની સાંજે 5 વાગ્યા સુધીમાં લોકડાઉનનો ભંગ કરનારા 453 લોકોની પોલીસે ધરપકડ કરી હતી.
મહારાષ્ટ્રમાં વધુ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ
મહારાષ્ટ્રમાં વધુ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 125 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
બિહાર સરકારનું 100 કરોડનું રાહત ભંડોળનું એલાન
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મુખ્યમંત્રી રાહત ભંડોળથી 100 કરોડ રૂપિયાના ફંડનું એલાન કર્યું છે. આ એલાન એ લોકો માટે કરવામાં આવ્યું છે જેમને લૉકડાઉનને કારણે જીવન જીવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કર્ણાટકમાં કુલ કેસની સંખ્યા 55 થઇ
કર્ણાટકમાં કોરોના વાયરસની સંક્રમણના કેસની સંખ્યા વધીને 55 થઇ ગઇ છે. જ્યારે એક વ્યક્તિનું આજે મોત પણ થયું છે. દેશમાં કુલ કોરોના વાયરસના કુલ સંક્રમણના કેસ વધીને 686 થઇ ગયા છે.
કર્ણાટકમાં એક વ્યક્તિનું મોત
કર્ણાટકમાં કોરોના વાયરસને કારણે વધુ એક મોત થયું છે. હાલ દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 639 નોંધાયા છે.
કોરોના વાયરસની મહામારી પર રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું
કોરોના વાયરસની મહામારી પગલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, કોરોના વાયરસની મહામારીનો સામનો કરી શકાય છે. આ માટે સરકારમાં દ્રઢ ઇચ્છાશક્તિ હોવી જરૂરી છે. લૉકડાઉન જેવા પગલા જરૂરી છે. પરંતુ માત્ર તેના પર નિર્ભર રહેવુ મોટી ભૂલ ગણાશે.
कोरोना महामारी से निपटा जा सकता है, मगर इसके लिए सरकार में दृढ़ इच्छाशक्ति का होना बहुत जरूरी है। लॉकडाउन जैसे कदम आवश्यक हैं, लेकिन सिर्फ इसी पर निर्भर रहना भारी भूल होगी।
स्वास्थ्य सुविधाओं में युद्ध स्तर पर सुधार के जरिए ही इस महामारी से निपटा जा सकता है। pic.twitter.com/6eqIBFFCPP
નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે બપોરે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે. કોરોના વાયરસના સંકટની વચ્ચે આજે નાણામંત્રી ઇકોનોમિક પેકેજનું એલાન કરી શકે છે.
ગુજરાતમાં કુલ કોરોના વાયરસના સંક્રમિત કેસની સંખ્યા 43એ પહોંચી
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 43 થઇ ગઇ છે. અમદાવાદમાં 15, સુરતમાં 7, રાજકોટમાં 4, વડોદરામાં 8, કચ્છમાં 1, અને ગાંધીનગરમાં 7, અને ભાવનગરમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં કોરોનાને કારણે કુલ 3 મોત થયા છે. જ્યારે દેશમાં કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 674 થઇ છે.
Till now, 43 positive cases of Coronavirus have been detected in the state: Gujarat Principal Secretary, Health and Family Welfare Jayanti Ravi pic.twitter.com/bUfwENmxEt
દેશમાં કોરોના વાયરસથી મોતનો આંક સતત વધી રહ્યો છે. હાલ સુધીમાં 15 લોકો પોતાનો જીવ ખોવી ચૂક્યા છે. મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરમાં પણ મોતની સંખ્યા વધી રહી છે. દેશમાં કુલ કેસ 665 થયા છે. મહારાષ્ટ્રમાં 128 કેસ છે અને 4 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
A 65-year-old woman from Mumbai who tested positive for Coronavirus, passes away; cause of death yet to be ascertained: Maharashtra Health Department https://t.co/z4wSKGVoro
હાલ સુધીમાં કોરોનાથી 13 લોકોના મોત થયા છે. કુલ દર્દીઓની સંખ્યા 612ની થઈ છે. હાલ સુધીમાં કુલ 40 દર્દીઓ સાજા થયા છે.
A 65-year-old man from Hyderpora, Srinagar passes away due to Coronavirus; Four of his contacts also tested positive yesterday: J&K Principal Secretary (Planning Commission) Rohit Kansal (file pic) pic.twitter.com/HKgVLciSkK
મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહીં સુધીમાં 125 કેસ આવ્યા છે. આમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. કેરળ બીજા નંબરે છે. અહીં 101 લોકોને ચેપ લાગ્યો છે. જોકે, મહત્વની વાત છે કે છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોઈ નવા કેસ સામે આવ્યા નથી.
મુંબઇમાં કોરોના વાયરસના વધુ 6 કેસ પોઝિટીવ તો આ તરફ કેરલમાં કોરોનાના વધુ 9 કેસ પોઝિટીવ તો મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે એક મહિલાનું મોત નિપજ્યું હતું. જમ્મૂ કશ્મીરમાં કોરોનાના 4 પોઝિટીવ કેસ જોવા મળ્યા હતા. આમ કેરળમાં કોરોના વાયરસના કુલ 118 કેસ અને ભારતમાં કોરોના વાયરસના કુલ 562 કેસ નોંધાયા હતા.
3 persons tested positive for #COVID19 in Goa. A 25-year-old man with travel history to Spain, a 29-year-old man with travel history to Australia and a 55-year-old man with travel history to United States. All three are stable: Directorate of Health Services, Government of Goa pic.twitter.com/M5L4BkH8Dl
ગોવામાં પણ 3 લોકોને કોરોનાથી ચેપ લાગ્યો છે અને ત્રણેય લોકો વિદેશ પ્રવાસ કરી ચૂક્યા છે. ગોવામાં કોરોનાનો આ પહેલો કેસ છે. ત્રણેય પુરુષ છે અને તેમની ઉંમર 25, 29 અને 55 વર્ષ છે. આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આ લોકો સ્પેન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા ગયા હતા. ત્યારબાદ ગોવામાં પરત ફર્યા હતા. ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત સ્થિર છે.
તેલંગાણામાં નોંધાયા 41 પોઝિટિવ કેસ
તેલંગાણામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 41 થઈ ગઈ છે. બુધવારે રાજ્યમાં 2 નવા કોરોના કેસ નોંધાયા છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિન મુજબ-વર્ષના બાળકને પણ કોરોનાથી ચેપ લાગ્યો છે. આ સિવાય હૈદરાબાદ સિટીની 43 વર્ષીય મહિલા પણ કોરોનાથી ચેપગ્રસ્ત છે. મહિલાનો વિદેશ પ્રવાસનો કોઈ ઇતિહાસ નથી, પરંતુ બાળક તાજેતરમાં સાઉદી અરેબિયાથી પરત ફર્યો છે.
ગુજરાતમાં કુલ 2 લોકોના મોત થયા
ગુજરાતમાં કોરોનાથી અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે. અમદાવાદમાં 85 વર્ષિય વૃદ્વાનું મોત તો સુરતમાં 67 વર્ષિય વૃદ્વનું મોત થયું હતું. ગુજરાતમાં બુધવારે ત્રણ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં એક મહિલા અને સુરતમાં એક-એક પુરુષ કોરોના વાયરસથી પોઝિટિવ આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો વધીને 38 થઇ ગયો છે.
એક જ પરિવારના 5 લોકોને કોરોનાનું સંક્રમણ
મહારાષ્ટ્રના સાંગલીમાં એક જ પરિવારના 5 લોકો કોરોના સંક્રમિત જાહેર કરાયા છે. મહરાષ્ટ્રમાં કુલ કેસની સંખ્યા વધીને 112 થઇ ગઇ છે.