દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે કુલ આંક 85940એ પહોંચ્યો છે. હાલ સુધીમાં કુલ 2752 લોકોના મોત થઈ ચૂક્યા છે. ટોપ દેશોની યાદીમાં કોરોના સંક્રમણમાં ભારતનો નંબર 11મો છે અને ચીનનો 12મો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3970 નવા કેસ સામે આવ્યા છે તો 103 દર્દીના મોત થયા છે.
ભારતમાં વધ્યો કોરોનાનો આતંક
દેશમાં કુલ આંક 85940 થયો, કુલ મૃત્યુઆંક 2752 થયો
24 કલાકમાં કુલ 103 દર્દીના મોત થયા
કોરોના કેસમાં ચીનથી પણ ભારત આગળ નીકળ્યુ છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યાના સંદર્ભમાં ભારતે હવે ચીનને પાછળ છોડી દીધું છે. દર્દીઓની સંખ્યાને લઇને ભારત હવે વિશ્વમાં 11 મા ક્રમે પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે ચીન આ ક્રમમાં 12મા નંબરે છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યૂપી, બંગાળ, આંધ્રપ્રદેશ, પંજાબ અને તેલંગાણામાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે.
24 કલાકમાં 3970 નવા દર્દીઓ સામે આવ્યા
ભારતમાં અત્યાર સુધીમાં 30 હજાર 258 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 3970 નવા દર્દીઓ સામે આવ્યા છે. કોરોનાના સૌથી વધુ મહારાષ્ટ્રમાં 29 હજાર 100 કેસ નોંધાયા છે. તમિલનાડુમાં 10108 કેસ, ગુજરાતમાં 9932 કેસ દિલ્હીમાં 8895, રાજસ્થાનમાં 4747 પોઝિટિવ કેસ, મધ્યપ્રદેશમાં 4595, ઉત્તરપ્રદેશમાં 4057 કેસ, પશ્ચિમ બંગાળમાં 2461, આંધ્રપ્રદેશમાં 2307 કેસ, પંજાબમાં 1932, તેલંગાણામાં 1454 પોઝિટિવ કેસ, કર્ણાટકમાં 1056, બિહારમાં 1033 પોઝિટિવ કેસ, જમ્મૂ કશ્મીરમાં 1013, હરિયાણામાં 854 પોઝિટિવ કેસ નોંધાયા છે.
Spike of 3970 #COVID19 cases & 103 deaths in India in the last 24 hours. The total number of positive cases in the country is now at 85940, including 53035 active cases, 30153 cured/discharged/migrated cases and 2752 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/fjOoeqCpuR
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના 29 હજારથી વધુ કેસ નોંધાયા છે. એકલા મુંબઈમાં 17 હજાર 671 કેસ થયા છે. શુક્રવારે છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 1,576 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 49 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 933 નવા કેસ સામે આવ્યા છે. એકલા મુંબઈમાં જ 933 નવા કેસની પુષ્ટિ થઈ છે. મુંબઈના કોરોનાથી અત્યાર સુધીમાં 655 લોકોનાં મોત નીપજ્યાં છે.
91 fresh cases of #Coronavirus have been reported in Rajasthan today till 9 am, taking total number of cases to 4838 out of which 1941 cases are active. Number of fatalities due to the disease stands at 125: Rajasthan Health Department pic.twitter.com/8PUs7bQR5M
શનિવારે સવારે 9 વાગ્યા સુધી રાજસ્થાનમાં કોરોના ચેપના 91 નવા કેસ નોંધાયા છે. જેમાં જયપુર, 9 ઉદેપુર, 1 કોટા, 1 અજમેર, 1 ઝુંઝુણાથી 55 કેસ નોંધાયા છે. 91 નવા કેસો પછી રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 4838 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 125 લોકોનાં મોત નીપજ્યાં છે.