આજે મહાનવમીના દિવસે કન્યાપૂજન કરવાથી સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. જાણો કન્યાપૂજન માટેના શુભ મુહુર્ત
આજે મહાનવમી
મહાનવમી પર કરવામાં આવે છે માં સિદ્ધિદાત્રીની પૂજા
કન્યાપૂજન કરવાથી મળે છે સુખ સમૃદ્ધિના આશીર્વાદ
આજે મહાનવમી
નવરાત્રિનો છેલ્લો દિવસ માં સિદ્ધિદાત્રીને સમર્પિત છે. આ માં દુર્ગાનું પૂર્ણ સ્વરૂપ છે અને સૌથી સિદ્ધ અવતાર છે. ધર્મ શાસ્ત્રો અનુસાર, માત્ર નવમા દિવસે સિદ્ધિદાત્રીની પૂજા કરીને સંપૂર્ણ નવરાત્રિની પૂજા - ઉપાસનાનું ફળ મેળવી શકાય છે. માં સિદ્ધિદાત્રી મનુષ્યો અને દેવતાઓ સૌને સિદ્ધિ અપાવે છે. મહાનવમીનાં દિવસે માં સિદ્ધિદાત્રીની વિધિ - વિધાનથી પૂજા કરવી જોઈએ. ત્યારે 9 દિવસનાં વ્રત - સાધનાનું ફળ મળે છે. જે લોકોએ 9 દિવસનાં વ્રત રાખ્યા છે, તેમણે કન્યા પૂજન કર્યા બાદ જ પારણ કરવા જોઈએ.
નવમી પર કન્યાપૂજનનું મુહૂર્ત
મહાનવમી પર કન્યાપૂજનનું શુભ મુહૂર્ત 4 ઓકટોબર સવારે 5 કલાક 2 મિનિટથી સવારે 6 કલાક 15 મિનિટ સુધી રહેશે. ત્યાર બાદ અભિજીત મુહૂર્ત સવારે 11 કલાક 46 મિનિટ થી લઈને બપોરે 12 કલાક 33 મિનિટ સુધી રહેશે. જ્યારે લાભ મુહૂર્ત સવારે 10 કલાક 41 મિનિટથી 12 કલાક 10 મિનિટ સુધી રહેશે. વ્રત પારણ કરવા માટે શુભ સમય આજે 4 ઓકટોબરે બપોરે 2 કલાક 21 મિનિટ બાદ છે.
પૂજાવિધિ
શારદીય નવરાત્રીની નવમી પર કન્યા પૂજન માટે 2થી 10 વર્ષની કન્યાઓને પોતાના ઘરે આમંત્રણ આપો, પછી શુભ મુહુર્તમાં કન્યાઓની પોતાના ઘરમાં જ પૂજા કરો. કન્યાઓનાં પગ ધુઓ, તેમને તિલક લગાવો, લાલ ચુંદડી ભેટમાં આપો, તેમના પર ફૂલો ચઢાવો. માતાજીના નારા લગાવો. કન્યાઓને હલવો, પૂરી, ખીર, ચણાનું સમ્માનપૂર્વક ભોજન કરવો. શૃંગારની વસ્તુ અને પૈસા ભેટમાં આપો. કન્યાઓના પગે પડીને તેમના આશીર્વાદ લો.