ઘણી એવી સામાન્ય વસ્તુઓ હોય છે જે આપણી સ્કિન અને વાળ માટે ખૂબ જ સારી હોય છે. પરંતુ આપણને તેના ફાયદાઓ અને ઉપયોગ વિધિ ખબર હોતી નથી. એવી એક વસ્તુ છે એસેન્શિયલ ઓઈલ. ઘણાં એસેન્શિયલ ઓઈલ એવા હોય છે જેનો ઉપયોગ કરવાથી સ્કિન અને વાળ બંનેને બહુ જ ફાયદા મળે છે અને તે વાળ અને સ્કિનની ઘણી સમસ્યાઓ પણ દૂર કરવામાં મદદ કરે છે. તેમાંથી જ એક નીલગિરીનું એસેન્શિયલ ઓઈલ છે. ચાલો જાણો તેના જબરદસ્ત ફાયદા.
નીલગિરી તમારી સ્કિન અને વાળ માટે અત્યંત લાભકારી છે
નીલગિરી તેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે
સ્કિન ઈન્ફેક્શન સામે રક્ષણ કરે છે આ તેલ
નીલગિરી તેલના ફાયદા
નીલગિરી તેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે સ્કિન ઈન્ફેક્શન સામે રક્ષણ કરે છે. તેના ઉપયોગથી સ્કિન મુલાયમ અને ડાઘ દૂર થાય છે.
પ્રદૂષણને કારણે સ્કિનનું મોઈશ્ચર દૂર થવા લાગે છે. તેના કારણે સ્કિન પર સૂક્ષ્મ બેક્ટેરિયાને કારણે નુકસાન થવાની સંભાવના વધી જાય છે. આ સમસ્યાઓમાં પણ નીલગિરી તેલ ફાયદાકારક છે.
આ તેલથી સ્કિનની બળતરામાં પણ આરામ મળે છે. સાથે જ તેની માલિશથી માંસપેશીઓના દુખાવામાં રાહત મળે છે. તે સૂર્યની યૂવી કિરણો સામે પણ સુરક્ષા પ્રદાન કરે છે.
નીલગિરી તેલના ઉપયોગ માટે તેના 1-2 ડ્રોપ સ્કિન પર લઈને તેનાથી હળવા હાથે મસાજ કરો. પછી 10 મિનિટ પછી ફેસવોશ કરી લો. આ સિવાય તમે આખી રાત પણ તેને લગાવીને રાખી શકો.
જો તમારી સ્કિન સેન્સિટિવ હોય તો નિષ્ણાંત સલાહ લીધાં વિના નીલગિરી તેલ ફેસ પર અપ્લાય કરવું નહીં.
મૂડને સારો કરવા માટે પણ તે ફાયદાકારી છે. નીલગિરી તેલની સુગંધથી તાજગી અને સુકૂન મળે છે. આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં બેચેની અને તણાવ ઓછો કરવા માટે એરોમા થેરાપી તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
નીલગિરી તેલમાં એન્ટીફંગલ ગુણ હોય છે જેથી તેથી તેને તમારા રેગ્યુલર હેઅર ઓઈલમાં 2-3 ડ્રોપ મિક્સ કરીને લગાવવાથી સ્કેલ્પનું ઈન્ફેક્શન દૂર થાય છે અને વાળના મૂળને પોષણ મળે છે. સાથે જ તેનાથી વાળ ઘાટ્ટા બને છે અને ખુજલી દૂર થાય છે.