ભારતીય પોસ્ટ ઓફિસ પોતાના દરેક ખાતાધારકોને માસિક આવક યોજનાની સુવિધા આપે છે. આ યોજના દ્વારા પોસ્ટ ઓફિસ પોતાના રોકાણકારોને દર મહિને અમુક નક્કી રકમ કમાવવાની તક આપે છે. આ સ્કીમનો વ્યાજ દર સરકાર સમય મુજબ નક્કી કરે છે.
ભારતીય પોસ્ટ ઓફિસની આ સ્કીમ છે બેસ્ટ
પોસ્ટ ઓફિસ રોકાણકારોને દર મહિને કમાવવાની આપે છે તક
આ સ્કીમને વધુ 5 વર્ષ માટે વધારી શકાય છે
આ પોસ્ટ ઓફિસના સૌથી ઓછા જોખમવાળા પ્લાનમાંથી એક છે. અત્યારે તેનો વ્યાજ દર 6.6 ટકા છે. આ સ્કીમ હેઠળ તમે જેટલા પણ રૂપિયા જમા કરાવ્યાં છે, તે મુજબ તમને દર મહિને પૈસા મળે છે. જો તમે ઈચ્છો તો આ યોજના હેઠળ સિંગલ અથવા જોઈન્ટ એકાઉન્ટ કોઈ પણ ખોલાવી શકો છો. રોકાણકારની જરૂરીયાત મુજબ, આ સ્કીમને વધુ 5 વર્ષ માટે વધારી શકાય છે. મહત્વનું છે કે, ભારતીય પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે આ સંપૂર્ણ રીતે રિસ્ક ફ્રી છે અને તેની સંપૂર્ણ ગેરંટી સરકાર દ્વારા સંચાલિત પોસ્ટ ઓફિસ કરે છે. આવો તમને જણાવીએ આ સ્કીમ અંગે.
સ્કીમ માટે યોગ્યતા
કોઈ પણ ભારતીય નાગરિક જે 10 વર્ષથી ઉપરનો છે, તે આ સ્કીમ માટે યોગ્ય છે
આ સ્કીમમાં કેટલું રોકાણ કરી શકો છો
પોસ્ટ ઓફિસ માસિક આવકની સ્કીમ હેઠળ તમે 1000 રૂપિયાની નાની રકમથી પોતાનું ખાતુ ખોલાવી શકો છો. ત્યારબાદ જરૂરીયાત મુજબ તમે રકમ પણ વધારી શકો છો. આ સાથે એક ખાતામાં 4.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. જ્યારે જોઈન્ટ એકાઉન્ટમાં 9 લાખ રૂપિયાનું રોકાણ કરવાની સુવિધા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દર મહિને નક્કી કરેલી રકમ મહિનાના અંતમાં મળે છે.