હાલ BCCI એ જાણકરી આપતા ટ્વિટ કર્યું છે કે, KL Rahul ફરી મેદાનમાં ઉતારવા માટે તૈયાર છે
કેએલ રાહુલ ફેબ્રુઆરી પછી ટીમ ઈન્ડિયા માટે એક પણ મેચ નથી રમ્યા. આઈપીએલ પછી અને સીરીઝના ઠીક પહેલા રાહુલ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા અને એ પછી એ કોરોના સંક્રમિત પણ થઈ ગયા હતા. પણ હાલ એમના ફેન્સ માટે એક ખુશીની ખબર સામે આવી છે. કે એલ રાહુલ સ્વસ્થ થઈને મેદાનમાં પરત ફરી રહ્યા છે.
કે એલ રાહુલ પહેલા વેસ્ટ ઇન્ડિઝ સામે મેચમાં ઉતરવાના હતા પણ એ સમયે તેઓ કોરોના પોઝીટીવ આવ્યા હતા અને મેચ નહતા રમી શક્યા. ભારતે પાંચમી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને 88 રનથી હરાવ્યું હતું. ભારતની જીત સાથે જ વેસ્ટ ઇન્ડિઝ સામે સીરીઝ પણ 4-1ના અંતરથી જીતી લીધી હતી. પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા. શ્રેયસે 64 રનની ઇનિંગ રમી. જેના જવાબમાં વેસ્ટઇન્ડિઝની ટીમ 100 રન બનાવીને ઑલઆઉટ થઇ ગઇ.
એ સમયે કેએલ રાહુલે સોશ્યલ મડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને જેમાં એમને તેમની ફિટનેસ વિશે અપડેટ આપી હતી અને સાથે એમ પણ લખ્યું હતું કે વારંવાર મેચ મિસ કરવા પર એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કે એલ રાહુલે તેની પોસ્ટમાં લખ્યું હતું કે, 'જૂન મહિનામાં મારી સર્જરી થઈ હતી જે સફળ રહી હતી. એ પછી મેં ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી અને મને એવી આશા હતી કે વેસ્ટ ઈન્ડિઝ સામે થવાવાળી મેચમાં હું પરત ફરીશ પણ જેમ હું ફિટ થવા લાગ્યો એમ હું અચાનક કોરોના સંક્રમિત થઈ ગયો હતો. એટલા માટે વસ્તુઓ ફરી પાછળ થઈ ગઈ. પણ હું પૂરી રીતે રિકવર થવાની કોશિશ કરું છું અને જલ્દી જ ટીમમાં પાછો આવું એવો પ્રયત્ન કરું છું.'
હાલ BCCI એ જાણકરી આપતા ટ્વિટ કર્યું હતું કે, કેએલ રાહુલ ફરી મેદાનમાં ઉતારવા માટે તૈયાર; ઝિમ્બાબ્વેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનીને મેદાન પર પરત કરી રહ્યા છે.
NEWS - KL Rahul cleared to play; set to lead Team India in Zimbabwe.
બીસીસીઆઈની મેડિકલ ટીમે કેએલ રાહુલને ઝિમ્બાબ્વેમાં આગામી ત્રણ મેચની વનડે શ્રેણીમાં રમવા માટે મંજૂરી આપી છે. ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટી એ તેમને ટીમના કેપ્ટન તરીકે કે એલ રાહુલને પસંદ કર્યા છે અને શિખર ધવનને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.