નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. તેમાં ખેડૂતો માટે મોટા પાયે નિર્ણયો લેવાઈ શકે છે.
ખેડૂતોને દેવામાંથી મુક્તિ અપાવવા અને તેમની આવક વધારવા માટે સરકાર સસ્તા દરે લોન આપે છે. કિસાન ક્રેડિટ કાર્ડ એક એવી શાનદાર સ્કીમ છે, જેમાં ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ વખતે બજેટમાં આશા સેવાઈ રહી છે કે, સરકાર આ યોજનાની લિમિટને હજુ પણ વધારી શકે છે.
આપને જણાવી દઈએ કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. તેમાં ખેડૂતો માટે મોટા પાયે નિર્ણયો લેવાઈ શકે છે. હકીકતમાં છેલ્લા થોડાક સમયમાં દેશમાં ખેડૂતોના મુદ્દે જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે. બીજી તરફ 5 રાજ્યોમાં ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે આવા સમયે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે કિસાન ક્રેડિટ કાર્ડમાં ખૂબ જ ઓછા દરે લોન મળે છે.
કેસીસી લોન પર વ્યાજ દર (Kisan credit card loan interest rate)
કિસાન ક્રેડિટ કાર્ડ (KCC Budget 2022) અંતરગ્ત ખેડૂતોને સસ્તા દરે લોન મળે છે. તેમાં બસ 7 ટકાના દરથી લોન વ્યાજ લાગે છે. એટલું નહીં જો કોઈ ખેડૂત લોનને એક વર્ષની અંદર ચુકવે છે, તો તેને ફક્ત 4 ટકા વ્યાજ જ આપવાનું રહેશે.
વ્યાજ દર છે ખૂબ જ ઓછા
ખેડૂતોની પાકની વાવણી માટે બેંકોમાંથી ખૂબ ઓછા દરે વ્યાજ પર લોન મળે છે. આ લોન કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા આપવામાં આવે છે. આ યોજનામાં ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન કોઈ પણ ગેરેન્ટી વગર આપવામાં આવે છે. તો વળી 3થી 5 લાખ સુધી શોર્ટ ટર્મ લોન ફક્ત 4 ટકાના વ્યાજ દર પર આપવામાં આવે છે. સરાકર આ લોન પર ફક્ત 2 ટકાની સબ્સિડી આપે છે. તો વળી સમય પર લોન ચુકવવા પર 3 ટકાની છૂટ આપવામાં આવે છે. આવી રીતે આ લોન ફક્ત 4 ટકા પર મળે છે. પણ જો લોન ચુકવવામાં મોડુ થશે તો, આ લોનના વ્યાજદર 7 ટકાએ વસૂલવામાં આવશે.
પાક વિમો
આ ખેડૂતો માટે સારામાં સારી સ્કીમ છે. કિસાન ક્રેડિટ કાર્ડના કારણે ખેડૂતો પોતાના પાકનો વિમો પણ કરાવી શકે છે. કોઈ પણ કારણોસર પાક નષ્ટ થવા પર ખેડૂતોને પાકનું વળતર આપવામા આવે છે. પુરની સ્થિતીમાં પાક પાણીમાં ડૂબી જવાથી અથવા તો, દુષ્કાળ પડવાથી પાક બળી જવાના સમયે કિસાન ક્રેડિટ કાર્ડ ખૂબ જ કામમાં આવે છે.
કેવી રીતે બનાવશે કિસાન ક્રેડિટ કાર્ડ
કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા આપ તાલુકામાં જઈને મળો.
ત્યાં જઈને જમીન સંબંધિત સંબંધિત મેળવો
ત્યાર બાદ કોઈ પણ બેંકમાં જાવ અને મેનેજર સાથે મળી કિસાન ક્રેડિટ કાર્ડ બનાવાની માગ કરો.
અહીં ધ્યાન રાખશો કે, કિસાન ક્રેડિટ કાર્ડ કોઈ પણ ગ્રામિણ બેંકથી બનાવવાથી સરકાર તેમાં ઈનસેંટિવ વગેર પણ આપે છે, જેનો ખેડૂતોને ફાયદો મળે છે.
ત્યાર બાદ બેંક મેનેજર આપને વકીલ પાસે મોકલશે અને જરૂરી જાણકારી લેશે.
ત્યાર બાદ આપને બેંકમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે.
ત્યાર બાદ ત્યાં અમુક દસ્તાવેજોના કામ થશે. જે બાદ આપનું કિસાન ક્રેડિટ કાર્ડ બની જશે
તેમાં લોનની સુવિધા કેટલીય મળશે, તે એ વાત પર નિર્ભર કરે છે કે, આપની પાસે કેટલી જમીન છે.
કિસાન ક્રેડિટ કાર્ડની ખાસિયત
કિસાન ક્રેડિટ કાર્ડમાં લોન પર બચત બેંકના દર પર વ્યાજ આપવામાં આવે છે.
કિસાન ક્રેડિટ કાર્ડમાં ધારકો માટે મફત ATM કમ ડેબિટ કાર્ડ મળે છે.
ભારતીય સ્ટેટ બેંક કિસાન કાર્ડ નામથી ડેબિટ/એટીએમ કાર્ડ આપે છે.
કેસીસીમાં 3 લાખ રૂપિયા સુધી વ્યાજ માટે 2 ટકા દર વર્ષે વ્યાજમાં છૂટ મળે છે.
સમયથી પહેલા લોન ચુકવી દેતા 3 ટકા પ્રતિ વર્ષના દરે વધારાની છૂટ મળે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર પાક વીમાનું કવર મળે છે
કિસાન ક્રેડિટ કાર્ડના નિયમો
આ યોજનામાં 1.60 લાખ રૂપિયા સુધીની લોન પર કોઈ પણ પ્રકારની સિક્યોરિટી આપવાની જરૂર નથી
એક વર્ષ અથવા લોન ચુકવવાની તારીખ સુધી, તેમાંથી જે પહેલું હોય તે 7 ટકાના દરથી વ્યાજ લગાવામાં આવશે
નિર્ધારિત તારીખની અંદર ચુકવણી ન થવાના કિસ્સામાં કાર્ડ દર પર વ્યાજ આપવું પડશે
નિર્ધારિત તારીખ બાદ છ માસ બાદથી ચક્રવૃદ્ધિ વ્યાજ લાગશે.