કિસાન સન્માન નિધિ યોજનાના દરેક લાભાર્થીઓને આ સ્કીમ સાથે જોડાવવા માટે બેંકની પાસે હવે તેમને ન જોડવા માટે કોઈ બહાનું નહીં રહે. એટલું જ નહીં જરૂરિયાત વાળા ખેડૂતો સુધી કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમનો લાભ મળશે. આ સાથે અન્ય લાભમાં ખેડૂતોને શું મળશે તે પણ જાણવું જરૂરી છે.
સામાન્ય બજેટમાં ખેડૂતોના કલ્યાણને માટે 16 સૂત્રીય એક્શન પ્લાનનું એલાન કરનારી મોદી સરકારે કિસાન સન્માન નિધિ યોજનાથી જોડાયેલા દરેક ખેડૂતોને ક્રેડિટ કાર્ડની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. આ સ્કીમના આધારે ખેડૂતોને કોઈ પણ ગેરેંટી વિનાના 1,60,000 રૂપિયા સુધીનું ઉધાર મળી શકશે. એટલું જ નહીં તેની પર 4 ટકા સુધીનું વ્યાજ પણ લાગશે.
આટલી સંખ્યામાં ખેડૂતો જોડાઈ ચૂક્યા છે આ સ્કીમમાં
સરકારનું માનવું છે કે તેનાથી ખેડૂતોના સાહૂકારો પર નિર્ભરતા ઘટે છે અને સાથે જ તેમને ખેતી માટે સરળતાથી રૂપિયા મળી શકે છે. હવે આ સ્કીમમાં 9.5 કરોડ ખેડૂતો જોડાઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે પહેલા રાઉન્ડમાં આ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. આ રીતે શરૂઆતમાં લગભગ 10 કરોડ ખેડૂતોને ક્રેડિટ કાર્ડની સ્કીમ સાથે જોડવામાં આવશે.
કિસાન સન્માન નિધિ યોજનાથી જોડાયેલા છો તો તરત જ મળશે આ લાભ
હવે 1 લાખ 60 હજાર રૂપિયાનું ઉધાર કોઈ પણ ગેરેંટી વિના ખેડૂતને મળશે. પહેલા આ સીમા 1 લાખ રૂપિયા સુધીની હતી. આ સિવાય કિસાન સન્માન નિધિ સ્કીમની સાથે જોડવાથી ખેડૂતોને ફાયદો મળવાનું સરળ બન્યું છે.
બેંકની પાસે નહીં હોય કોઈ બહાનુ
સરકારની તરફથી અનેક વાર સૂચન કર્યા બાદ પણ બેંકની તરફથી ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવાની તકેદારી લેવામાં આવી નથી, હવે કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્તીઓને આ સ્કીમ સાથે જોડવામાં બેંકની પાસે તેમને ન જોડવાનું કોઈ બહાનું રહેશે નહીં. એટલું જ નહીં એ પણ નક્કી હશે કે જરૂરિયાતવાળા ખેડૂતો સુધી કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમનો લાભ પહોંચે.
બજેટમાં ખેડૂતોને માટે કરવામાં આવ્યો 30 ટકાનો વધારો
કેન્દ્ર સરકારે ખેડૂતોને માટે આ વર્ષના બજેટમાં 1,42,761 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ગયા બજેટની સરખામણીએ આ 30 ટકાથી વધારે છે. સરકારે પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમને માટે 75,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ સિવાય 15,695 કરોડ રૂપિયાની ફાળવણી પ્રધાનમંત્રી ફસલ વીમા સ્કીમ માટે ફાળવ્યા છે.
ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કરે છે PM મોદી
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ પોતાના પહેલાં કાર્યકાળ બાદ સતત 2022 સુધી ખેડૂતોની આવકને બમણી કરવા માટેની વાત કરી છે. આ બજેટમાં મોદી સરકારે એક તરફ ખેડૂતોને માટે દેવાની વ્યવસ્થાને મજબૂત કરવાની કોશિશ કરી છે તો અન્ય તરફ સિંચાઈ વ્યવસ્થાને સુધારવા માટેનું ફોકસ પણ કર્યુ છે.